|
લોહાણા બોર્ડીંગ, વડોદરા.
તા. 30
જાન્યુ. ’41
મારા વ્હાલા
આત્મા,
આનંદ,
આનંદ, આનંદ. પત્ર મળ્યો. અરવિંદનો પત્ર આવી ગયો. તેમના નલીનીકાન્ત બાબુ નામના
સેક્રેટરીએ લખ્યું હતું ‘We beg to
inform you that it will not be possible to take you in the Ashram as an
inmate’.
પછી ? શી કલ્પના થાય છે ?
હું નિરાશ થયો હોઈશ ?
નિરાશ થનારને
માટે આ
આધ્યાત્મિક જગતમાં સ્થાન જ નથી. મેં એમ જ માન્યું કે અરવિંદાશ્રમમાં હમણાં
જવાનું નહિ હોય, અને એ પણ ખરું છે. સાક્ષાત્કાર કાંઈ કોઈ એક ઠેકાણે જ થઈ શકે છે
?
ગઈ 22મી
તારીખે સ્વામી શિવાનંદને ઋષિકેશ પત્ર લખેલો તે બીજા પાને લખ્યો છે. તેમનો ઉત્તર
સુંદર આવ્યો છે. એ આ રહ્યો--
Beloved Self,
Delighted to pursue
the contents of your letter. You are a man of great spiritual samskaras. You
can nicely progress in the spiritual line. Have some daily regular practice
in concentration, meditation, Japa. Through selfless service to society,
to
religious institutions, purify your heart. Then you will quickly progress in
meditation while remaining in solitude.
Strict isolation is only for
advanced students. Kindly try to get some job and serve your mother; this is
a great yoga. Side by side, remain as Brahmachari and practice yoga. When
you advance, then you come to me. This is a place for advanced students.
Preparation for this life should be nicely done while remaining in the
world. Otherwise, the sadhakas become very lousy at the end. Have daily
practice. At the end of every month, write to me about your progress. I will
give you further lessons for your practice.
They own self.
કેવું સરસ
લખાણ છે ! આ જ ડાહ્યો પ્રત્યુત્તર છે. મારા મામાને મેં વાત કરી છે ને તેમણે મને
કહ્યું છે કે હું 100 રૂ. નું દેવું પતાવું એટલે મને છૂટો કરવામાં આવશે.
પ્રાણાયામ
બંધ રાખશો. ધ્યાન ચાલુ રાખવું. રોજ રાતે આખા દિવસને યાદ કરવો ને શુદ્ધિ માટે
પ્રાર્થના કરવી. સાગરના કિનારા પર જઈને ઊંડા શ્વાસ લો. ૐ ૐ ને સોહમ્ થી ઉરને
ભરી દો. એ વખતે ભાવના કરો કે તમે નિરોગી છો, પ્રેમ છો, આનંદ છો, મુક્ત ને બુદ્ધ
છો. આપણા અસલના ઋષિઓ ગૃહસ્થાશ્રમમાં રહીને ધર્મ કાર્ય કરતા. એ કાંઈ સહેલું નથી.
એ તો યોગિનામપ્યગમ્યમ્ છે. સ્ત્રીને પોતાના આત્મરૂપ માનવી એ જ ઉત્તમ છે.
આધ્યાત્મિક પત્ની તરીકે મળે. તમને એ મળ્યું છે એટલે તમે પ્રગતિ કરી શકશો. જીવન
એક યજ્ઞ છે એ ના વિસરશો.
બેનના વિષે
તમે મને પહેલાં વાત કરી હતી. હવે તેમના વિચાર કેવા છે
?
એ બેનને કહેજો કે એક ઉડાઉ કે શ્રીમંતની સાથે તમારાં લગ્ન થાય તેથી કાંઈ
ગભરાવાનું નથી. લગ્ન કરવાં જ પડે તો પણ મહાભાગ્ય જ માનવું. તમારા સંસ્કારથી જો
તમે એ પતિના ઉડાઉપણાને નાબૂદ કરી શકો, ને એના પોકળ જીવનમાં કંઈક પણ પ્રાણ પૂરી
શકો, તો તમે મહાન કાર્ય કર્યું કહેવાશે. એ શ્રીમંત હોય તો એના હૃદયમાં ગરીબો
પ્રત્યે પ્રેમ પ્રકટાવવો એ તમારો ધર્મ હોઈ શકે. એની સાથે જીવન જોડતાં તમે એક
મહાન આદર્શ માટે તેમ કરો છો એટલું સ્મરણમાં રાખશો. તો લગ્નજીવન બહુ જ સારું
જશે.
જઠર સાફ હોય
તો ખરાબ વિચાર થતા નથી. કબજીયાતથી જ ઘણાં રોગ થાય છે. આપણા ખોરાક પર વાસના
વધારે ભાગે અવલંબે છે. ખોરાકમાં તેલ, મરચું, ખટાશ, ખારાશ વધારે ના હોવાં જોઈએ.
એકલા ફરવા જાઓ. વહેલા ઊઠતા રહો. મોડામાં મોડા 10 વાગે સૂઈ જાઓ. તમે
‘નારાયણ’
છો, સંપૂર્ણ સ્વતંત્ર ને પૂર્ણ છો. લગ્ન પછી પણ અભ્યાસ થાય એ સારું છે. કોઈ
સારી જગા મળતી હોય તો કાંઈ નહિ. તમે કદી માયામાં ફસાશો એ હું માની શકતો
નથી. મને વિશ્વાસ છે. વિચારો લખતા રહો. વાર્તાઓ થોડી જ વાંચો. ચિંતનપ્રધાન
સાહિત્ય કે જીવનચરિત્રો વધારે વાંચો. બને તો
‘રામકૃષ્ણ
પરમહંસ’
ફરી વાંચી જાઓ.
Life is short, Time is
fleeting
And the world is
full of miseries ;
Cut the knot of Avidya
And drink the
Nirvanic Bliss.
- Swami Sivananda.

(
શ્રી યોગેશ્વરજી લિખિત 'હિમાલયના
પત્રો'માંથી ) |