Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

૩૮. જલારામ ભગવાનની કૃપા

 

ભારત દેશ સંતરૂપી રત્નોની ખાણ જેવો છે. ઇશ્વરની કૃપા પામેલા અને ઇશ્વરતુલ્ય મહાપુરુષો કે સંતો આ દેશમાં જેટલા પ્રમાણમાં થયા છે તેટલા પ્રમાણમાં બીજે ક્યાંય નથી થયા. એવા મહાન, લોકોત્તર સંતપુરુષોમાં વીરપુરના જલારામ ભગવાનનું નામ અત્યંત અગત્યનું છે.

સંસારમાં એવા લોકકલ્યાણમાં માનનારા કેટલાક સંતો છે જે સુક્ષ્મ રૂપે રહીને પણ લોકોને દર્શન આપે છે અને મદદ કરે છે. ઇ.સ. ૧૯૫૬માં મેં વીરપુરની મુલાકાત લીધી અને જલારામ ભગવાન વિશે માહિતી મેળવી, ત્યારથી લાગ્યું કે જલારામ પણ એવા જ એક લોકોત્તર સંત છે. અને એમના માટેનો મારો પ્રેમભાવ વધી પડ્યો.

એ પ્રેમભાવ અથવા તો આકર્ષણના પડઘા રૂપે કહો કે બીજા ગમે તે કારણે કહો, પરંતુ તારીખ ૧૦-૮-૧૯૫૭ને શનિવારે રાત્રે ૧૧-૩૦ વાગ્યે મને એમનું દર્શન થયું. તે વખતે હું ઋષિકેશમાં હતો. તેમનું સ્વરૂપ એકદમ ગૌર, સૌમ્ય, અને અત્યંત તેજોમય હતું. દર્શન આપીને એમણે મારી સાથે કેટલીક અંગત વાતો પણ કરી, જે ગુપ્ત રાખવા યોગ્ય હોવાથી અહીં પ્રકટ કરી શકું તેમ નથી.

ભગવાન શ્રી જલારામની કૃપા મેળવવા માંગનારા પ્રેમી ભક્તો આજે પણ એમની કૃપા મેળવી શકે છે એ વાતની ખાતરી આપવા માટે આ પ્રસંગ લખી રહ્યો છું.

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer