શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

પ્રેરણા
     
  Kavita - Gujarati Poems  
< BACK

અભિપ્સા

NEXT >

       

આકાશે મચ્યાં છે આજે કેવાં ઘન ઘોર,
ચપલાં ચમકે, કરે કેવો કેવો શોર;
ઉકળાટ ધરતીને થાય ચોરે કોર,
વરસે છે વાદળાં ને કરે છે કિલ્લોલ !

અંધકાર ચારે કેર રહ્યો ભરપૂર,
આંખ ઠરે તોય જરી દેખાયે ના ધૂળ;
મુંઝાયે છે લોક કેમ પામવો પ્રકાશ,
દીપક જાગે છે, નાસી જાય છે અંધાર !

જ્યારે જ્યારે જીવનમાં આમ હો અંધાર
મુંઝાયે ને મન ત્યારે હો તમે પ્રકાશ;
તર્ક ને વિતર્ક કરે શોર ચારે કોર
ભય ને વિનાશ વીજ મૂકે દોટાદોટ

ત્યારે ત્યારે કરવાને અંતરને શાંત
વરસી રહેજો તમે કૃપા વરસાદ.

 

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'અભીપ્સા' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer