શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

કૃતિની વિકૃતિ
     
   
< BACK

ગાંધી ગૌરવ

NEXT >

       

રચીને સૃષ્ટિને સૃજનપતિએ મંગલ કહી
મનુષ્યોને વાણી : સુખદશુભ સૃષ્ટિ સુમધુરી
તમારા આત્માને અપરિમિત આસ્વાદ ધરવા
રચી છે મેં રૂપે વિવિધ રસરંગે સભર શી,

અલંકારી એને અમરસમ આનંદ લભવા;
સમર્પી ને પ્રજ્ઞા પરમ તમને તો શુભ કરો
કરો સૌનું શ્રેય સુખ વધુ ભરો જીવન મહીં,
સુધારો ના તો હો મધુર કૃતિની વિકૃતિ નહીં.

મનુષ્યો પ્રજ્ઞાના પતિ નવ રહ્યા દાસ જ થયા,
વિસારી વાણીને સૃજનપતિની સત્વર ગયા,
મથ્યા આ સૃષ્ટિને સુખદ કરવા કિન્તુ ન રહ્યા
મનુષ્યો સૌ, કીધું પરમ રસસંવર્ધન નહીં,

અહંતાઅજ્ઞાને પશુ સમ લડ્યા ગૌરવ હણી,
સુધારે પાછી એ સરસ કૃતિ આ વિકૃતિ બની !

શ્રી યોગેશ્વરજી

-------

( શ્રી યોગેશ્વરજી કૃત 'ગાંધી ગૌરવ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer