શ્રી યોગેશ્વરજી રચિત

 

કાવ્યપુષ્પો

 

ગીતો, કવિતાઓ, બાળગીતો તથા માતૃઅંજલિ કાવ્યો

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

પાછા ફરશો ક્યારે ?
     
   
< BACK

ગાંધી ગૌરવ

NEXT >

       

તમે પાછા ક્યારે ફરશો ?
મુરઝાયેલી માનવતાના માળી બનતાં વ્હારે
રેલવવા રસક્યારે રસને ફરી આવશો ક્યારે,
તમે પાછા ફરશો ક્યારે ?

પીડા પૃથ્વીપ્રાણે પાછી, એના એ ઉકળાટ,
ઘોર તમિસ્ત્ર છવાયાં સઘળે વ્યાપી જડતા-રાત;
પુણ્યપ્રભા પ્રકટાવી પ્રેમળ પવિત્ર ને રળિયાત
માનવને કહેવા વીસરાઈ એ જ ઐક્યની વાત,
પ્રકટ થશો પૃથ્વી પર પાછા પ્રાણ રેલવા ક્યારે,
તમે પાછા ફરશો ક્યારે ?

શમી સમસ્યાઓ ના સઘળી નવી સમસ્યા જાગે,
અશાંત અટવાયેલી અવની આર્ત અધિકતર લાગે;
શસ્ત્રોના સંચય વધતાં ને ભેદભીતિ ના ભાગે,
વસતો સુંદર વસુંધરામાં માનવ ના રસરાગે.
પ્રકટ થશો પૃથ્વી પર પાછા પ્રાણ રેલવા ક્યારે,
તમે પાછા ફરશો ક્યારે ?

અપૂર્ણ મૂકી ગયા કાર્યને પૂરણ કરવા પ્રેમે
પાછા ફરો કરીશું સ્વાગત નેહનીતરતાં નેને;
જરી જુઓ તો તમે ચાહતા શું ને આજ થયું શું,
ભારત ને મનુકુળના ભાગે આજે રિક્ત રહ્યું શું ?
પુષ્પો પાથરશું પંથમહીં વધાવતાં મધુમાળે.
તમે પાછા ફરશો ક્યારે ?

એક મહામાનવને માગે મ્લાન મહીમંડળ આ
યુગોતણો ઈતિહાસ સર્જવા ઝંખે છે અંતરમાં;
પ્રકટો કે આશીર્વાદ ધરો વિભૂતિ કોઈ જાગે
રંગી દે અંતરને એના અભિનવ શાશ્વત રાગે,
ત્રુટિત સિતારી સાંધી છોડે દિવ્ય સુરાવલિ તારે,
તમે પાછા ફરશો ક્યારે ?

શ્રી યોગેશ્વરજી

-------

( શ્રી યોગેશ્વરજી કૃત 'ગાંધી ગૌરવ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer