મા સર્વેશ્વરી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

પ્રભુજીના ચરણમાં
     
   
< BACK

અંજલિ

NEXT >

       

પ્રભુજીના ચરણમાં પ્રીત કરી (2)

સંસારીની માયા તોડી (2)
પ્રભુનાં ચરણોમાં મેં જોડી...પ્રભુજીના...

જગની રીતિ-ભીતિ છોડી (2)
બનતાં દિવાની હું દોડી...પ્રભુજીના...

માત તાત પ્રિય ના કોઈ (2)
સ્વજન બનાવ્યા છે જોગી...પ્રભુજીના...

કૃપા કરીને પાર ઉતારી (2)
મધદરિયે ડૂબતી હોડી...પ્રભુજીના...
 

રચના સમયના મનોભાવો

જગતના સર્વ પદાર્થો પ્રત્યે વહેતા પ્રેમભાવને પ્રયત્ન કરતાં કરતાં સહજ રીતે પ્રભુ પ્રત્યે વાળી દીધો.

માયા-મમતાનાં બંધનોને ફગાવીને પ્રભુના શ્રી ચરણે વળતાં નવા પ્રકાશની - નવી દિશાની પ્રાપ્તિ થઈ.

સંસારનાં સગાં કે સ્વજનો - જેમાં ગણો તેમાં - સંતોને સ્થાન મળી ગયું. સમાજની રીતભાત, મર્યાદા, બંધનોને તોડીને પ્રભુમાર્ગે મસ્ત બનવાનું સદભાગ્ય મળ્યું ત્યારે આ પદની રચના થઈ.

જીવનને પ્રભુમય બનાવ્યું તો પ્રભુએ જ જીવનને બચાવી લીધું ને ધન્ય બનાવી દીધું.

Maa Sarveshwari

            

    (મા સર્વેશ્વરી કૃત 'અંજલિ' માંથી)

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer