મા સર્વેશ્વરી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

વંદન ગુરુજી
     
   
< BACK

અંજલિ

NEXT >

       

વંદન ગુરુજી ! પ્રેમે કરીએ,
શ્રીચરણોમાં મસ્તક ધરીએ.

માતતાત છો, સાથી ન્યારા,
સ્વામી, સખા ને સ્વજન છો પ્યારા...વંદન...

દાસ બનાવી ચરણે રાખો,
કલેશ સમસ્ત જીવનના કાપો...વંદન...

માળી અમારા ! ફૂલડાં તમારાં,
સુગંધ ભરજો પ્રાણે અમારા...વંદન...
 

રચના સમયના મનોભાવો

જીવનનું જે પરમકલ્યાણ સાધવાનું છે તેમાં જે સાચી સહાય કરે તે ગુરુ. એવા ગુરુજીને અંતરના અંતરતમથી પ્રણામ. સંસારના સર્વ બંધનોને ગુરુજીના શ્રીચરણે સમર્પિત કર્યા, જેથી હવે શિષ્યનાં સાચાં માતાપિતા, સાથીદાર, સ્વામી કે મિત્ર - સર્વ સદગુરુ પોતે જ બની ગયા છે. એ સર્વરૂપે જ્યાં સમાઈ ગયાં છે તે વ્યક્તિવિશેષ ગુરુજીને પ્રેમમય પ્રણામ.

ગુરુજીના શ્રી ચરણે દાસ બનીને રહીએ તો જીવનનાં સર્વ કષ્ટો કલેશોમાંથી મુક્તિ મળી જાય. એ માટે શ્રી ગુરુજીને પ્રાર્થના કરવાની રહે છે.

સદગુરુ શિષ્યના પ્રભુમય જીવનબાગના માળી છે. ગુરુજીએ જ પ્રભુપ્રેમનું બીજ વાવ્યું છે. હવે એ જ સંભાળ રાખશે. ફૂલ ખીલે ને સુગંધથી સંપન્ન બને ત્યાં સુધી સદગુરુ જ સંભાળ રાખીને માવજત કરશે એવી વિનંતી થઈ છે.

શિષ્ય તો ધણીવાર અવિવેક ભરી ભૂલો કરતો રહે છે, અને જે અનિત્ય છે તે તરફ દોડ મૂકે છે. ત્યારે એવી પરિસ્થિતિમાં પણ તેને ગુરુજી જ બચાવી લે છે, ખોટી દિશામાંથી પાછો વાળી લે છે.

ગુરુજી પોતાનો વિશેષ અનુગ્રહ વરસાવીને અમારી વિનંતિને ધ્યાનમાં રાખીને અમને આગળ વધારશે.

સાચા ગુરુને આ રીતે વંદન સાથે પ્રાર્થના થઈ શકે.

Maa Sarveshwari

            

    (મા સર્વેશ્વરી કૃત 'અંજલિ' માંથી)

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer