મા સર્વેશ્વરી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

વ્યથા વિરહની રે
     
   
< BACK

અંજલિ

NEXT >

       

વ્યથા વિરહની રે વ્હાલા ! તારી વાટમાં રે લોલ,
આંસુડાની ધારેધાર અહોનિશ આંખમાં રે લોલ.

ધીરજ હિંમતની રે કસોટી કરે કારમી રે લોલ,
નિંદા ટીકાનાં ફૂલ પાથરતો પ્યારથી રે લોલ....વ્યથા...

ચારેકોર વાગતું રે વિરોધ કેરું ગીતડું રે લોલ,
તલસાવે તડપાવે તેમ દર્દ થકી દિલડું રે લોલ....વ્યથા...

કટુ વચનનો રે પ્રસાદ ધરે પ્રેમથી રે લોલ,
જીવન ઘડતરના પાઠ પઢાવતો સ્નેહથી રે લોલ....વ્યથા...

અંતે કરી દે ધન્ય પરમાણુ પ્રાણનો રે લોલ,
આનંદમંગલ થાય ભક્ત-ઉર આંગણું રે લોલ....વ્યથા...
 

રચના સમયના મનોભાવો

પ્રભુપંથે પ્રયાણ કરનારાની આકરી કસોટીઓ થતી હોય છે. ધ્રુવજી, પ્રહ્લલાદ મીરાંબાઈનાં જીવનને જાણવાથી એનો ખ્યાલ આવે જ છે.

મારી સાધનાની પગદંડી ઉપર પણ એવા જ અનુભવો થયા, જેનું વર્ણન આ પદ દ્વારા વ્યક્ત થયું છે.

પ્રભુ પોતાના પ્યારા ભક્તને સર્વક્ષેત્રે સંપૂર્ણ બનાવવા માગતો હોઈ સર્વ સદગુણોનો વિકાસ થાય તેને તે જરૂરી માને છે.

તેથી જ નિંદા અને ટીકાનાં પૂષ્પો પાથરીને ભક્તની સહનશક્તિને સુદ્રઢ કરે છે. વળી, સત્ય મધુરભાષી પ્રશંસાત્મક શબ્દોની પ્રસાદી બદલે કટુ વચનોનો પ્રસાદ આપતો રહે છે.

પ્રભુને પામવાની વિરહવેદના હોય, એને મેળવવા માટે સતત અશ્રુપાત થતો હોય, તો છેવટે ઘણાં લાંબા કાળે પ્રભુ કૃપાની વર્ષા વરસાવતો જોવા મળે છે. પ્રભુ ભક્તને છેવટે ધન્યતામાં સ્નાન કરાવે છે, પછી તો ભક્તના જીવનમાં આનંદ-આનંદ થઈ જાય છે.

Maa Sarveshwari

            

    (મા સર્વેશ્વરી કૃત 'અંજલિ' માંથી)

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer