મા સર્વેશ્વરી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

શ્યામે લીધી સ્વીકારી
     
   
< BACK

અર્ઘ્ય

NEXT >

       

બંધ બારણે ટકોરા મારીને,
શ્યામે લીધી સ્વીકારી ...

કેટકેટલા દિનોથી પોકારતી હું,
કીધી કસોટી ભારી....શ્યામે...

મૌનમંદિરનો સાદ સંભળાયો,
આવ્યો અલખ જગાડી...શ્યામે...

જીન્દગી સોંપી શ્રી ચરણે એના
નિશ્ચિંત બનતાં મ્હાલી....શ્યામે...

અણુએ અણુમાં આનંદ હેલી,
મસ્ત બનીને નાચી....શ્યામે...
 

રચના સમયના મનોભાવો

મૌનમંદિરમાં થયેલી પ્રાર્થનાઓ જ્યારે સંભળાવા લાગી ત્યારે જીવનમાં આનંદ છવાઈ ગયો. કેટલાયે દિવસોની કસોટી બાદ મનોકામના પૂર્ણ થઈ ત્યારે કોને મસ્તી ના ચઢે?

ભગવાન શ્રી કૃષ્ણે સંપૂર્ણપણે સ્વીકારી લીધી છે એ ઘટના જ્યારે સત્ય બનીને સામે આવીને ઊભી રહી ત્યારે જીવન નિશ્ચિંત બની ગયું. એ પરમ ધન્ય પળોમાં આ ગીત રચાયું.

Maa Sarveshwari

            

    (મા સર્વેશ્વરી કૃત 'અર્ઘ્ય' માંથી)

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer