મા સર્વેશ્વરી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ચરણની બલિહારી
     
   
< BACK

અર્ઘ્ય

NEXT >

       

યોગેશ્વર ચરણની બલિહારી,
એની વાત ખરેખર છે ન્યારી...

જીવનઘડતરની એ શાળા,
તોડે બંધનના તાળાં... યોગેશ્વર

પ્રગટ પ્રભુની શીતળ છાયા,
છોડાવે ઝંઝટ માયા... યોગેશ્વર

ગુરૂગોવિંદ તણા સથવારે,
મુક્તિ મળે મંગલ દ્વારે... યોગેશ્વર

પ્રભુપ્રેમની પુનિત પરબડી,
પામી કાયા ધન્ય બની... યોગેશ્વર

સંગ સ્વર્ગસુખ દૈવી આપે,
અજ્ઞાન તિમિરને કાપે... યોગેશ્વર
 

રચના સમયના મનોભાવો

શ્રી યોગેશ્વરજીની છત્રછાયા સ્થૂળ રીતે ૧૯૭૯ ના ડિસેમ્બરથી શરૂ થઈ તે પહેલાં વરસો સુધી સૂક્ષ્મ રીતે એ મારા જીવનનાં પથદર્શક ને પ્રેરક બની રહ્યાં હતાં.

સ્થૂળ સાંનિધ્ય પામ્યા પછી શ્રી યોગેશ્વરજીની શીતળ છાયામાં શું શું પામી શકાયું એ ચરણો કેવાં કેવાં અલૌકિક કાર્યો કરે છે તેની રૂપરેખા આ ગીત દ્વારા વ્યકત થઈ.

Maa Sarveshwari

            

    (મા સર્વેશ્વરી કૃત 'અર્ઘ્ય' માંથી)

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer