|
|
મા સર્વેશ્વરી રચિત
॥
ગુજરાતી ભજનો ॥
અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના,
સ્તુતિ, આરતિ અને સ્તોત્ર |
|
|
<<
HOME
| ADHYATMA
|
AUDIO |
BOOKS
|
BHAJANS |
KAVITA
|
RAMAYAN |
MAHABHARAT |
UPANISHAD
|
SARAL GITA
| MORE >> |
|
|
વ્હાલા લેને શરણે
|
વ્હાલા લેને શરણે કરગરી કહું છું તને...
વ્હાલા વિલંબ ન શોભે તને કસોટી શાને કરે....
પ્રેરણા તેં જગાડી તો આવી તારા પંથમહીં,
સંતાઈને કરે છે શું દોડી આવ અહીં....વ્હાલા લેને...
અજાણી, અટૂલી એકલડી બેઠી આ મંદિરિયે,
પ્રભુપંથે પકડો બાંય યોગેશ્વર માત હવે....વ્હાલા લેને...
માવડી બનીને પધારી તો શોભે શું આવું રે,
તારા બાળની જાશે લાજ વધારે શું ગાવું....વ્હાલા લેને....
દયા લાવીને દીનદયાળી દિવ્યરૂપે આવ જરી,
મારી જીવનનૌકા ચલાવ, આવકારું વ્હાલ ધરી....વ્હાલા લેને....
|
|
રચના સમયના મનોભાવો |
|
આ પ્રાર્થના જીવનમાં પ્રથમવાર
મૌનએકાંતનો લાભ લેવાનું બન્યું ત્યારે થઈ. એકલવાયા પ્રથમવારના જીવનમાં એક
સૂનકાર છવાયો તો ત્યાં શ્રી યોગેશ્વરજીને વિનંતી કરી કે હે મા, તું મારા
જીવનને સંભાળી લે. તારી પ્રેરણાથી જ આ પંથ સ્વીકાર્યો છે. હવે વિલંબ શા
માટે કરે છે? |
|

(મા સર્વેશ્વરી
કૃત
'અર્ઘ્ય'
માંથી) |
|
|
|
|
|
|
Home
|
Adhyatma
|
Shri Yogeshwarji
|
Maa Sarveshwari
|
SarvaMangal
|
Swargarohan
|
Site Map
|
News
|
|Audio/video|
Books |
Contacts
|
Download |
FAQ
|
Feedback
|
Glossary
|
Guest Book |
Links
|
Photo Gallery
|
Search |
What's New? |
|
|
Copyright
©
2002-2008 by Swargarohan, Danta Road, Ambaji,
North Gujarat, INDIA. All
Rights reserved. See
Disclaimer |