|
મહારાજા જનમેજયના સુપ્રસિદ્ધ સર્પયજ્ઞમાં જરત્કારુ ઋષિના પુત્ર આસ્તીકે
સર્પોની સુરક્ષા સાધીને એમના દ્વારા જે વરદાન મેળવેલું તે વરદાન સૌ કોઇ
જાણે એ આવશ્યક છે.
એ વરદાન એક પ્રકારનું અભયવચન છે.
એ અભયવચનને અનુસરીને,
મહાભારતમાં જણાવ્યા પ્રમાણે,
જે વ્યક્તિ નીચેનો પાઠ કરશે તેને સર્પનો ભય નહીં રહે. એ પાઠવાક્યો આ
પ્રમાણે છેઃ
असितं चार्तिमंतं च सुनीथं चापि यः स्मरेत् ।
दिवा वा यदि रात्रौ नास्य सर्पभयं भवेत् ॥
यो जरत्कारुणा जातो जरत्कारौ महायशाः ।
आस्तीकः सर्पसत्रे वः पन्नगान्योङभ्यरक्षत ॥
तं स्मरंत महाभागा न मां हिंसितुमहर्थ ।
सर्पापसर्प भद्रं ते गच्छ सर्प महाविष ।
जनमेजयस्य यज्ञांते आस्तीकवचनं स्मर ॥
आस्तीकस्य वचः श्रुत्वा यः सर्पो न निवर्तते ।
शतधा भिद्यते मूर्घ्नि शिशंवृक्षफलं त्रथा ॥
મહાભારતના આદિપર્વના અંતર્ગત આવેલા આસ્તીકપર્વના અધ્યાય
58ના
ઉપયુક્ત 23
થી 26
સુધીના શ્લોકોના ભાવાર્થ આ પ્રમાણે -
"જે
કોઇ દિવસે કે રાત્રે અસિત,
આર્તિમાન અને સુનીથનું સ્મરણ કરશે તેને સર્પનો ભય નહિ રહે."
"જે
મહાયશસ્વી આસ્તીક જરત્કારુ ઋષિથી જરત્કારુનાત્રિણીમાં જન્મ્યા છે અને
તમને સર્પોને જેમણે સર્પથી રક્ષ્યા છે તે આસ્તીકનું હું સ્મરણ કરું છું.
હે મહાભાગ્યશાળી સર્પો,
હું તમારાથી હણાવા યોગ્ય નથી."
"હે
સર્પ,
હે મહાવિષધર,
અહીંથી ચાલ્યો જા. તારું કલ્યાણ થાવ. જનમેજયના યજ્ઞના અંત વખતના વચન યાદ
કર."
"આસ્તિકના
વચનને યાદ કરીને જે સર્પ પાછો નહીં વળે તેના શિરના શિષણ વૃક્ષના ફળની
પેઠે સેંકડો ટુકડા થઇ જશે."
એ શ્લોકોના અનુસંધાનમાં આગળ પર જણાવવામાં આવ્યું છે કે આસ્તીકના
આખ્યાનનું કીર્તન કરનારને પણ ક્યારેય કોઇ સ્થળે સર્પોનો ભય નહીં રહે.
મહાભારતનાં એ વચનમાં વિશ્વાસ રાખીએ.
|