પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

< HOME | AUDIO | BOOKS | BHAJANS | BHAGWAT | RAMAYAN | MAHABHARAT | SARAL GITA | UPANISHAD | YOG SUTRA | MORE >

 
Shri Yogeshwarji - Gujarati saint and literate

Shri Yogeshwarji's

પરિમલ
Inspirational writings in Gujarati
 
Also explore

આ પણ જુઓ

Bhagavad-Gita

Bhagavad Gita in Gujarati poems

Bhagavat
Bhagavat Purana in Gujarati
Mahabharat
Principal stories from Mahabharata
Ramayan

Ramcharitmanas in Gujarati poems

Upanishad

Upanishads in Gujarati

Yog Sutra

Patanjali's Yog Sutra in Gujarati

Shivmahimna Stotra
Shiv Mahimna Stotra in Gujarati
Vishnu Sahasranam

Vishnu Sahasranama in  Gujarati poems

Gopi Geet
Gopi Geet with MP3 audio
Gujarati Bhajan

Gujarati Bhajans with MP3 audio

Gujarati Kavita
Kavita - collection of Gujarati Poems
Poems
Inspirational Poems in English

e - Books

Read online or download PDF

Glossary

Glossary and spiritual Dictionary

Translate

Parimal

(Inspirational Gujarati writings)

 

   Index :  અનંત સૂર | પરિમલ | અક્ષત

Read in e-book (PDF) format

અનંત સૂરઅક્ષત | પરિમલ | સનાતન સંગીત

 

શ્રી યોગેશ્વરજીની કલમ એ ગુજરાતી સાહિત્યની શકવર્તી ઘટના છે. યુવાનીના દિવસોથી જ સાતત્યપૂર્ણ રીતે મા સરસ્વતીની આરાધના કરતી એમની લેખિનીએ લગભગ પાંચ દાયકાની સાહિત્યયાત્રા દરમ્યાન ગુજરાતી જનતાને ઘણું ઘણું ધરી દીધું. ગુજરાતી આધ્યાત્મિક સાહિત્યના સીમાચિન્હ સમી એમની આત્મકથા 'પ્રકાશના પંથે' થી માંડીને એમના દ્વારા પ્રસાદિત જીવનકથા, અનુવાદો, મહાકાવ્યો, કવિતાઓ, લેખો, નવલકથાઓ અને બેનમૂન ચિંતનગ્રંથો વડે ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ બન્યું.

અહીં પ્રસ્તુત બહુધા કૃતિઓનો રચનાકાળ ૧૯૪૦ થી ૧૯૫૫ વચ્ચેનો છે, જ્યારે તેઓ હિમાલયના શાંત એકાંત પ્રદેશમાં ઇશ્વરની શોધમાં જીવન નિર્ગમન કરતા હતા. સાહિત્યસાધના એમને માટે બાધક બનવાને બદલે એમની જીવનસાધનાની સંગિની બની. એ કાળ દરમ્યાન એમની માનસગંગોત્રીમાંથી જે જે અવતીર્ણ થયું તે બધું કલમના માધ્યમ દ્વારા પ્રસ્ફુટિત થયું અને સમય આવ્યે ગ્રંથો દ્વારા જનહિતાર્થે પ્રસ્તુત થયું. નાત, જાત, સંપ્રદાય કે ધર્મના વાડાઓ જેમને સ્પર્શી નહોતા શક્યા એવા આ મહાપુરુષે શ્વેતવસ્ત્રને શોભાવી સંતપણાને તો અનોખી ગરિમા બક્ષી જ કિન્તુ સાથે સાથે કલમને પણ ગૌરવ પ્રદાન કર્યું. પ્રસિદ્ધિ કે પ્રશસ્તિની પરવા કર્યા વગર સાચા કર્મયોગીની પેઠે જીવનના અંત સુધી ગુજરાતી સાહિત્યની મૂક સેવા કરતાં રહી તેઓ ૧૯૮૪માં ચાલી નિકળ્યા. ગુજરાતી જનતા અને સાહિત્યકારોએ હજી એમના સાહિત્યીક વારસાને યથાર્થ રીતે પિછાનવાનો અને પૂર્ણ માત્રામાં મુલવવાનો બાકી છે.

'પરિમલ', 'સનાતન સંગીત', 'અનંત સૂર' તથા 'અક્ષત' યોગેશ્વરજીના અન્ય સર્જનો કરતાં નિરાળી ભાત પાડે છે. એમાં આલેખીત અપદ્યાગદ્ય રચનાઓ એમના મનોભાવોનું દર્પણ બની એમના વિશાળ વ્યક્તિત્વનું અનોખું ઉદઘાટન કરે છે. એ મધુમય રચનાઓમાં ટાગોરની 'ગીતાંજલી' કે અંગ્રેજ કવિ શેલી અને વર્ડઝવર્થના લખાણો જેવી વિચારોની તાજગી, ભાવોની ઉદાત્તતા અને અભિવ્યક્તિની મોકળાશ મહેંકે છે.

પ્રભાતના પુષ્પોની મહેંકથી મહેકતી આ અર્થસભર રચનાઓનો ગુજરાતી સાહિત્યરસિકો ભ્રમર બની આસ્વાદ લેશે તો એમનો શ્રમ સાર્થક લેખાશે. યોગેશ્વરજીની કમનીય કલમની ભાવપ્રચૂર અભિવ્યક્તિ 'પરિમલ' વિશે તમારા પ્રતિભાવોનો અમને ઇંતજાર રહેશે.

 

Yogeshwarji - An exceptional poet & writer

 

Parimal - Exceptional & Inspiring Gujarati writings
by Shri Yogeshwarji.
Begin your day with the gems of Gujarati literature.

 

 

 

 | Adhyatma| Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal |

 |  Articles | Autobiography | Letters | Lectures | Kavita | Poems | Q&A | Teachings | Writings |

| Calendar | E-books | GopiGeet | Shivmahimna Stotra | Vishnu Sahasranam | Ramana Maharshi | TirthYatra | YogAsana |

| ABOUT US | DISCLAIMER | FAQ | FEEDBACK | GLOSSARY | GUEST BOOK | LINKS | SITE MAP | WHAT'S NEW |

Copyright © Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA. All rights reserved.