गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अरण्यकांड

   
< BACK

Aranya Kand

NEXT >

Ram-Laxman moves forward in Sita's search

 

(चौपाई)

कोमल चित अति दीनदयाला। कारन बिनु रघुनाथ कृपाला ॥

गीध अधम खग आमिष भोगी। गति दीन्हि जो जाचत जोगी ॥ १ ॥

सुनहु उमा ते लोग अभागी। हरि तजि होहिं बिषय अनुरागी ॥

पुनि सीतहि खोजत द्वौ भाई। चले बिलोकत बन बहुताई ॥ २ ॥

संकुल लता बिटप घन कानन। बहु खग मृग तहँ गज पंचानन ॥

आवत पंथ कबंध निपाता। तेहिं सब कही साप कै बाता ॥ ३ ॥

दुरबासा मोहि दीन्ही सापा। प्रभु पद पेखि मिटा सो पापा ॥

सुनु गंधर्ब कहउँ मै तोही। मोहि न सोहाइ ब्रह्मकुल द्रोही ॥ ४ ॥

(दोहा)    

मन क्रम बचन कपट तजि जो कर भूसुर सेव।

मोहि समेत बिरंचि सिव बस ताकें सब देव ॥ ३३ ॥

  

રામ-લક્ષ્મણ જંગલમાં સીતાની શોધમાં

 

કોમળ મન અતિ દીનદયાળ, કારણ વિણ રઘુનાથ કૃપાળ;

ગીધ અધમ કરે આમિષભોગ, આપી ગતિ જે આપે યોગ.

 

અજ્ઞજનો એ ખરે અભાગ કરે વિષયનો જે અનુરાગ,

હરિને તજે ભજે ન ઘડી, પામે પ્રશાંતિ તે ન કદી.

 

શોધ જાનકીના કરતા ચાલ્યા બંધુ ઉભય વનમાં.

 

કાનન વૃક્ષલતા ભરપૂર વસતા ખગમૃગગજ ત્યાં શૂર,

સિંહો સ્વૈરવિહાર કરે, હિંસક પશુઓ ઘોર ફરે.

 

(દોહરો)  

કબંધ રાક્ષસને હણ્યો વધતાં વાટમહીં.

 

કહ્યું કબંધે જે મળ્યો દુર્વાસાથી શાપ

ટળી ગયો તે દર્શને પ્રભુના આપોઆપ.

 

પ્રભુ બોલ્યા ગંધર્વ હે, દ્રોહ બ્રહ્મકુળનો

કરનારો ન મને ગમે, ભાવ કહું ઉરનો.

 

મન ક્રમ વચન કપટ તજી કરતાં ભૂસુર સેવ

મુજ સાથે વશ થાય છે બ્રહ્મ શિવ સૌ દેવ.

   

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer