गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Deities convince Saraswati

 

(चौपाई)

सुनि सुर बिनय ठाढ़ि पछिताती। भइउँ सरोज बिपिन हिमराती ॥

देखि देव पुनि कहहिं निहोरी। मातु तोहि नहिं थोरिउ खोरी १ ॥

बिसमय हरष रहित रघुराऊ। तुम्ह जानहु सब राम प्रभाऊ ॥

जीव करम बस सुख दुख भागी। जाइअ अवध देव हित लागी ॥ २ ॥

बार बार गहि चरन सँकोचौ। चली बिचारि बिबुध मति पोची ॥

ऊँच निवासु नीचि करतूती। देखि न सकहिं पराइ बिभूती ॥ ३ ॥

आगिल काजु बिचारि बहोरी। करहहिं चाह कुसल कबि मोरी ॥

हरषि हृदयँ दसरथ पुर आई। जनु ग्रह दसा दुसह दुखदाई ॥ ४ ॥

(दोहा)    

नामु मंथरा मंदमति चेरी कैकेइ केरि।

अजस पेटारी ताहि करि गई गिरा मति फेरि ॥ १२ ॥

 

સરસ્વતી દેવોની યોજના પાર પાડવા તૈયાર થાય છે

 

સરસ્વતીએ સુણતાં વાત થવા સરોજ વિપિન હિમરાત

પ્રગટ કર્યું પોતાનું દુઃખ, દેવોની પણ શમી ન ભૂખ.

 

ફરી પ્રાર્થના રહ્યા કરી લાગશે નહીં દોષ જરી;

રામ હર્ષશોકથકી મુક્ત, નથી તમારાથી એ ગુપ્ત.

 

જાણો રઘુવર પરમ પ્રભાવ અવિદ્યાતણો સદા અભાવ;

સુખદુઃખ પામે કર્મે જીવ બને બદ્ધ પોતે કે શિવ.

 

અયોધ્યાપુરી તરફ ગયાં સરસ્વતી મનમાં જ વદ્યાં,

મંદબુદ્ધિ છે દેવતણી, વિવેક તેથી કર્યો નહીં.

 

નિવાસ ઉચ્ચ નીચ વ્યવહાર, મલિનતાતણો છે ના પાર,

પરવિભૂતિ પેખી ન શકે, ચિત્ત યોગમાં ના જ ટકે.

 

ભાવિ કર્મનો કરી વિચાર, રામતણું માહાત્મ્ય અપાર

સમજી આવ્યાં અવધપુરી ગ્રહદશા હતી જ્યાં અધુરી.

 

(દોહરો)   

દાસી કૈકેયીતણી હતું મંથરા નામ

બુદ્ધિ તેની ફેરવી કરવા અપયશકામ.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer