गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Dasharath asks reason for Kaikeyi's grief

 

(चौपाई)

अनहित तोर प्रिया केइँ कीन्हा। केहि दुइ सिर केहि जमु चह लीन्हा ॥

कहु केहि रंकहि करौ नरेसू। कहु केहि नृपहि निकासौं देसू ॥ १ ॥

सकउँ तोर अरि अमरउ मारी। काह कीट बपुरे नर नारी ॥

जानसि मोर सुभाउ बरोरू। मनु तव आनन चंद चकोरू ॥ २ ॥

प्रिया प्रान सुत सरबसु मोरें। परिजन प्रजा सकल बस तोरें ॥

जौं कछु कहौ कपटु करि तोही। भामिनि राम सपथ सत मोही ॥ ३ ॥

बिहसि मागु मनभावति बाता। भूषन सजहि मनोहर गाता ॥

घरी कुघरी समुझि जियँ देखू। बेगि प्रिया परिहरहि कुबेषू ॥ ४ ॥

(दोहा)

यह सुनि मन गुनि सपथ बड़ि बिहसि उठी मतिमंद।

भूषन सजति बिलोकि मृगु मनहुँ किरातिनि फंद ॥ २६ ॥

 

દશરથ કૈકેયીના રોષનું કારણ પુછે છે

 

(દોહરો)   

અહિત કર્યું કોણે કહે, કોને મસ્તક બે,

યમ કોને ગ્રસવા તથા મરવા કોણ ચહે?

તારો દુશ્મન દેવ કો હોય તેને મારી શકું હું તોય;

કીડા-મંકોડાશાં નરનાર કરું ગણના નહીં સંસાર.

 

તારું મુખ મધુ ચંદ્રશું ઓર, મન મારું બન્યું છે ચકોર;

જાણે સ્નેહાળ મારો સ્વભાવ, અનુરાગતણો ન અભાવ.

 

પ્રાણ પુત્ર પ્રજા પરિવાર રાજ્ય જીવન તારું રસાળ;

નથી કપટ કરીને કહેતો, શત રામના શપથ ભલે હો.

 

રેલી હાસ મનગમતું માગ, સજી ભૂષણ જાડયથી જાગ;

શુભાશુભનો કરીને વિચાર પ્રિયા, શીઘ્ર કુવેશ ઉતાર.

 

(દોહરો)   

શપથ સુણી હસતાં ઊઠી કૈકેયી મતિમંદ,

વિલોકતાં મૃગને કરે જેમ કિરાતિની ફંદ.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer