गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Kaikeyi tells Ram to depart

 

(चौपाई)

सीय सकुच बस उतरु न देई। सो सुनि तमकि उठी कैकेई ॥

मुनि पट भूषन भाजन आनी। आगें धरि बोली मृदु बानी ॥ १ ॥

नृपहि प्रान प्रिय तुम्ह रघुबीरा। सील सनेह न छाड़िहि भीरा ॥

सुकृत सुजसु परलोकु नसाऊ। तुम्हहि जान बन कहिहि न काऊ ॥ २ ॥

अस बिचारि सोइ करहु जो भावा। राम जननि सिख सुनि सुखु पावा ॥

भूपहि बचन बानसम लागे। करहिं न प्रान पयान अभागे ॥ ३ ॥

लोग बिकल मुरुछित नरनाहू। काह करिअ कछु सूझ न काहू ॥

रामु तुरत मुनि बेषु बनाई। चले जनक जननिहि सिरु नाई ॥ ४ ॥

(दोहा)   

सजि बन साजु समाजु सबु बनिता बंधु समेत।

बंदि बिप्र गुर चरन प्रभु चले करि सबहि अचेत ॥ ७९ ॥

 

કૈકેયી રામને દશરથનો સ્નેહ છોડી પ્રયાણ કરવા જણાવે છે

 

સીતા સંકોચવશ ના બોલી, કિન્તુ કૈકેયી ક્રોધથી ડોલી;

પાત્ર ભૂષણ મુનિનાં વસ્ત્ર રાખી રામની આગળ સદ્ય.

 

બોલી, નૃપને છો પ્રાણથી પ્રિય, સ્નેહ છોડશે એ ના જરીય;

થશે સુયશ સુકૃત લોકનાશ તોય આપશે ના વનવાસ.

 

કરો ઉચિત લાગે તે વિચારી; સુણી રામ રહ્યા હરખાઇ;

લાગ્યાં નૃપને વચન જાણે બાણ, કરે પ્રાણ ના જડ કાં પ્રયાણ?

 

રાજા મૂર્છા પામ્યા, લોક વ્યગ્ર બન્યા ઘટનાને નીરખી સમગ્ર;

સૂઝયું કોઇને ના શું કરવું, જોઇ જીવવું કે પછી મરવું!

 

રામ મુનિવેશને સુખે ધારી જનની જનકપદે શિર ઢાળી

ચાલ્યા  વનનો  સજીને સાજ છોડી વચનને ખાતર રાજ.

 

(દોહરો)    

ચાલ્યા પ્રભુ ઉલ્લાસથી વનિતા બંધુસમેત

ગુરુ વિપ્ર પદે વંદતાં સૌને કરી અચેત.

   

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer