गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Ram leaves people of Ayodhya behind

 

(चौपाई)

जागे सकल लोग भएँ भोरू। गे रघुनाथ भयउ अति सोरू ॥

रथ कर खोज कतहहुँ नहिं पावहिं। राम राम कहि चहु दिसि धावहिं ॥१ ॥

मनहुँ बारिनिधि बूड़ जहाजू। भयउ बिकल बड़ बनिक समाजू ॥

एकहि एक देंहिं उपदेसू। तजे राम हम जानि कलेसू ॥ २ ॥

निंदहिं आपु सराहहिं मीना। धिग जीवनु रघुबीर बिहीना ॥

जौं पै प्रिय बियोगु बिधि कीन्हा। तौ कस मरनु न मागें दीन्हा ॥ ३ ॥

एहि बिधि करत प्रलाप कलापा। आए अवध भरे परितापा ॥

बिषम बियोगु न जाइ बखाना। अवधि आस सब राखहिं प्राना ॥ ४ ॥

(दोहा)    

राम दरस हित नेम ब्रत लगे करन नर नारि।

मनहुँ कोक कोकी कमल दीन बिहीन तमारि ॥ ८६ ॥

 

રામ સૌને મુકીને આગળ વિદાય થાય છે

 

જાગ્યા થતાં જન બધા ભોર, કર્યો રામ ના જોતાં શોર;

રથની કયાંય ન ભાળ મળી, ચતુર્દિશ રહ્યા વિકળ ફરી.

 

ડૂબ્યું અર્ણવ-જલે જહાજ, બન્યો અતિ વ્યથિત વણિકસમાજ;

એકમેકને દે ઉપદેશ, રામે તજ્યા સમજતાં કલેશ.

 

નિંદે સ્વને વખાણે મીન, ધિક્ જીવન રઘુવીર વિહીન;

વિધિએ પ્રિયનો કર્યો વિયોગ, કર્યો ન કેમ મરણનો યોગ ?

 

કરતાં એવાં વિવિધ પ્રલાપ ગયા અવધ સહતાં પરિતાપ;

વિષમ વિયોગ ન થાય વખાણ, અવધિ આશથી રાખ્યા પ્રાણ.

 

(દોહરો)    

દર્શન માટે નિયમવ્રત લઇ રહ્યાં નર-નાર,

કોકી-કોક કમળ વ્યથિત રવિ વિણ જેમ અપાર.

   

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer