गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Nishad's hospitality

 

(चौपाई)

राम लखन सिय रूप निहारी। कहहिं सप्रेम ग्राम नर नारी ॥

ते पितु मातु कहहु सखि कैसे। जिन्ह पठए बन बालक ऐसे ॥ १ ॥

एक कहहिं भल भूपति कीन्हा। लोयन लाहु हमहि बिधि दीन्हा ॥

तब निषादपति उर अनुमाना। तरु सिंसुपा मनोहर जाना ॥ २ ॥

लै रघुनाथहि ठाउँ देखावा। कहेउ राम सब भाँति सुहावा ॥

पुरजन करि जोहारु घर आए। रघुबर संध्या करन सिधाए ॥ ३ ॥

गुहँ सँवारि साँथरी डसाई। कुस किसलयमय मृदुल सुहाई ॥

सुचि फल मूल मधुर मृदु जानी। दोना भरि भरि राखेसि पानी ॥ ४ ॥

(दोहा)   

सिय सुमंत्र भ्राता सहित कंद मूल फल खाइ।

सयन कीन्ह रघुबंसमनि पाय पलोटत भाइ ॥ ८९ ॥

 

નિષાદરાજ ગુહની આગતા-સ્વાગતા

 

લક્ષ્મણ સીતા રામ નિહાળી વદ્યાં સપ્રેમ ગ્રામ નર-નારી,

માત-તાત સહિયર તે કેવાં વન મોકલ્યાં બાળ સુર જેવાં !

 

એકે કહ્યું નૃપે શુભ કર્યું, વિધિએ લોચનને સુખ ધર્યું.

કર્યુ નિષાદે ઉર અનુમાન અશોકદ્રુમનું છે શુચિ સ્થાન.

 

સ્થાન બતાવ્યું રઘુપતિને, રઘુપતિને લાગ્યું પ્રિય તે;

પુરજન વંદી નિજગૃહ ગયા, સંધ્યા કરવા રઘુવર રહ્યા.

 

કુશકિસલયની શય્યા કરી ગુહે કંદ-ફળ મધુમય ધરી;

ભર્યું અમૃતમય પીવા નીર; નેહ હતો એનો ન લગીર.

 

(દોહરો)   

સીતા સુમંત્ર ભ્રાત સહ અશન કરી રઘુરાય

સૂતા ત્યારે લક્ષ્મણ રહ્યા દબાવી પાય.

   

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer