गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Bharat says that he is not fit for the crown

 

(चौपाई)

कैकेई भव तनु अनुरागे। पाँवर प्रान अघाइ अभागे ॥

जौं प्रिय बिरहँ प्रान प्रिय लागे। देखब सुनब बहुत अब आगे ॥ १ ॥

लखन राम सिय कहुँ बनु दीन्हा। पठइ अमरपुर पति हित कीन्हा ॥

लीन्ह बिधवपन अपजसु आपू। दीन्हेउ प्रजहि सोकु संतापू ॥ २ ॥

मोहि दीन्ह सुखु सुजसु सुराजू। कीन्ह कैकेईं सब कर काजू ॥

एहि तें मोर काह अब नीका। तेहि पर देन कहहु तुम्ह टीका ॥ ३ ॥

कैकई जठर जनमि जग माहीं। यह मोहि कहँ कछु अनुचित नाहीं ॥

मोरि बात सब बिधिहिं बनाई। प्रजा पाँच कत करहु सहाई ॥ ४ ॥

(दोहा)   

ग्रह ग्रहीत पुनि बात बस तेहि पुनि बीछी मार।

तेहि पिआइअ बारुनी कहहु काह उपचार ॥ १८० ॥

 

ભરત પોતાને રાજગાદી માટે અનુચિત ગણે છે

 

(દોહરો) 

કૈકેયીથી પ્રગટ આ તનમાં પ્રેમ કરી

પામર પાપી પ્રાણ ના ગયા હજુય મરી.

 

પ્રિયના વિરહમહીંય એ પ્રિય લાગે છે પ્રાણ;

હજુ તો કોણ કહી શકે કેવી મળશે લ્હાણ !

 

લક્ષ્મણ સીતા રામને આપી વન પ્રેમે

પતિને સ્વર્ગે મોકલી સાધ્યું હિત કેમે.

 

અપયશ ને વૈધવ્યની પોતે લ્હાણ લઇ,

શોક ભીતિ સંતાપની સૌને ભેટ દઇ,

 

મુજને સુંદર રાજ્ય ને યશ-સુખ દાન કરી

કૈકેયીએ સર્વને શાંતિ અનંત ધરી.

 

તમે રાજગાદી ધરો એથી ઉત્તમ શું ?

મારે માટે જગતમાં ના જ અયોગ્ય કશું.

 

વાત વિધાતાએ જ છે મારી સર્વ રચી,

પ્રજા પંચ શાને કરો સ્વલ્પ સહાય પછી ?

 

ગ્રહ્યો ગ્રહોએ, વાયુવશ, પડયો વીંછીનો માર,

પાય એહને વારુણી એ કેવો ઉપચાર ?

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer