गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Bharat uses chariot at Mother's request

 

(चौपाई)

राम दरस बस सब नर नारी। जनु करि करिनि चले तकि बारी ॥

बन सिय रामु समुझि मन माहीं। सानुज भरत पयादेहिं जाहीं ॥ १ ॥

देखि सनेहु लोग अनुरागे। उतरि चले हय गय रथ त्यागे ॥

जाइ समीप राखि निज डोली। राम मातु मृदु बानी बोली ॥ २ ॥

तात चढ़हु रथ बलि महतारी। होइहि प्रिय परिवारु दुखारी ॥

तुम्हरें चलत चलिहि सबु लोगू। सकल सोक कृस नहिं मग जोगू ॥ ३ ॥

सिर धरि बचन चरन सिरु नाई। रथ चढ़ि चलत भए दोउ भाई ॥

तमसा प्रथम दिवस करि बासू। दूसर गोमति तीर निवासू ॥ ४ ॥

(दोहा)   

पय अहार फल असन एक निसि भोजन एक लोग।

करत राम हित नेम ब्रत परिहरि भूषन भोग ॥ १८८ ॥

 

માતાની આજ્ઞા માની ભરત રથમાં બેસે છે

 

દર્શન માટે આતુર નરનારી તાકે તરસ્યાં પ્રાણી જેમ વારિ;

રામ હોવાથી વનમાં ન્યારા બંધુ બંને ચાલ્યા પગપાળા

 

લોકો એમનો નેહ નિહાળી ચાલ્યા પગપાળા વાહન ત્યાગી;

કહ્યું કૌશલ્યાએ ત્યારે પ્રેમે પહોંચી ભરત પાસે જઇ કેમે.

 

તમે ચાલશો જો પગપાળા, ચઢશે કોઇ રથે તો ના ન્યારા;

થશે વ્યથિત બધો પરિવાર, શક્તિ તનમાં રહી ના લગાર.

 

માટે બંને રથમાં જ વિરાજો, એથી પુરજન પાસે ના લાજો.

 

(દોહરો) 

આજ્ઞા માની માતની ચરણોમાં નામી

રથ પર બેઠા માર્ગમાં એ બંને ભાઇ.

 

પ્રથમ દિને તમસાતટે સૌએ કરી નિવાસ

બીજે દિવસે ગોમતી તીરે કીધો નિવાસ

 

કોઇ એક વખત જમ્યાં કોઇ પય ફળ સાથ

ભૂષણભોગ તજી કર્યા વ્રત રઘુવરને કાજ.

   

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer