गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Bharat in dilemma over how to convince Ram

 

(चौपाई)

कीन्ही मातु मिस काल कुचाली। ईति भीति जस पाकत साली ॥

केहि बिधि होइ राम अभिषेकू। मोहि अवकलत उपाउ न एकू ॥ १ ॥

अवसि फिरहिं गुर आयसु मानी। मुनि पुनि कहब राम रुचि जानी ॥

मातु कहेहुँ बहुरहिं रघुराऊ। राम जननि हठ करबि कि काऊ ॥ २ ॥

मोहि अनुचर कर केतिक बाता। तेहि महँ कुसमउ बाम बिधाता ॥

जौं हठ करउँ त निपट कुकरमू। हरगिरि तें गुरु सेवक धरमू ॥ ३ ॥

एकउ जुगुति न मन ठहरानी। सोचत भरतहि रैनि बिहानी ॥

प्रात नहाइ प्रभुहि सिर नाई। बैठत पठए रिषयँ बोलाई ॥ ४ ॥

(दोहा) 

गुर पद कमल प्रनामु करि बैठे आयसु पाइ।

बिप्र महाजन सचिव सब जुरे सभासद आइ ॥ २५३ ॥

 

રામને મનાવવા કેવી રીતે તેની દ્વિધામાં ભરત

 

(દોહરો) 

કુટિલ કાર્ય માતે કર્યું, ભરત વિચારે એમ,

રાજ્યાભિષેક રામનો કરી શકાશે કેમ ?

 

ગુરુની આજ્ઞા માનતાં પાછા ફરશે રામ,

જાણીને રુચિ રામની ગુરુ પણ કહેશે કામ.

 

માતાના આદેશથી પાછા રામ ફરે,

જનની પરંતુ રામની હઠ કોદીય કરે ?

 

ગણના મારી લેશ ના, મારો સમય ખરાબ,

કરું દુરાગ્રહ થાય તો એ અપરાધ અમાપ.

 

દાસધર્મ કૈલાસના કરતાં કહ્યો કઠોર;

ભરતચિત્તમાં ઉદભવ્યા વિચાર ચારેકોર.

 

એકે યુક્તિ ભરતને ઉત્તમ ના લાગી,

પસાર કીધી રાતને વિચારમાં જાગી.

 

સ્નાન કરી રઘુનાથને બેઠા કરી પ્રણામ

ત્યાં જ વસિષ્ઠે ભરતને બોલાવ્યા નિષ્કામ.

 

વંદી ગુરુપદકમળને બેઠા સાદર પાસ,

વિપ્ર મહાજન સચિવ જ્યાં હતા સભાસદ ખાસ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer