|
(દોહરો)
એવી
રીતે
પ્રેરણા
પામી
શક્તિ
વળી
કથા
કરું
રઘુપતિતણી
અભિનવ
ભાવ
ભરી.
વ્યાસ
આદિ
આદર્શ
કવિ
હરિગુણના
ગાનાર,
નમું
એમનાં
ચરણમાં,
કરો
મનોરથ
પાર.
કલિયુગના
કવિનેય
હું
નેહે
નમન
કરું
રઘુપતિગુણનું
જેમણે
વર્ણન
રસે
કર્યું.
ભાષામાં
હરિચરિતને
વર્ણવનારા
સૌ
પ્રાકૃત
કવિ
વિદ્વાનને
વંદું
પ્રેમે
હું.
ભૂતકાળના
હાલના
ભવિષ્યના
સઘળા
કવિઓને
છળ
ને
અહં
છોડીને
પ્રણમું.
પ્રસન્ન
બનતાં
આપજો
એ
મુજને
વરદાન
સન્માને
મુજ
કવનને
જેથી
સંતસમાજ.
વિદ્વાનો
જે
કાવ્યને
આદર
ના
ધરતા
તે
માટેનો
વ્યર્થ શ્રમ
બાળકકવિ
કરતા.
કીર્તિ
કાવ્ય
સંપત્તિને
ઉત્તમ
સ્થાન
મળે
જ્યારે
ગંગા
જેમ
એ
હિત
સૌનુંય
કરે.
રામકીર્તિ
શુભ
છે
અશુભ
કવન
મારું,
મેળ
મેળવું
કેમ
હું,
ચિંતા
શે
ટાળું
?
કૃપા
તમારી
પામતાં
એ
પણ
સુલભ
થશે,
સોહે
રેશમ
ટાટ
પર
સીવ્યે
સ્વલ્પ
કશે.
કવિજન
સર્વ
કૃપા
કરો
એ
સઘળું
જાણી
ઉત્તમ
હરિગુણ
ગાય
કે
મારી
મધુ
વાણી.
કવિતા
સરળ
વિમળ
કરે
વર્ણન
કીર્તિતણું
સજ્જન
તેને
શ્રેષ્ઠતા
દે
સન્માન
ઘણું.
એને
સુણતાં
શત્રુ
પણ
સહજ
વેર
વીસરે
રસમાં
ડૂબી
એહની
પૂર્ણ
પ્રશસ્તિ
કરે.
વિમળ
બુદ્ધિવિણ
થાય
ના
પણ
તેવી
કવિતા,
પ્રાર્થું
તેથી
પદમહીં
એ
સઘળા
કવિના,
મતિ
મારી
અતિ
અલ્પ
છે,
કરો
કૃપા
કાંઇ,
હરિયશને
જેથી
શકું
હેતથકી
ગાઇ.
કવિપંડિત,
છો
રામના
માનસરોવર
હંસ,
અરજ
સુણી
રુચિ
દેખતાં
બનો
તો
કૃપાવંત.
*
ખર
રાક્ષસની
વાતનું
વર્ણન
છે
જેમાં
તોપણ
અતિ
કોમળ
સુભગ
મંજુલ
સ્વર
જેના
દૂષણ સહિત
છતાંય
જે
દૂષણ રહિત
ગણાય
રામાયણની
મધુમયી
રચના
દિવ્ય
મનાય
તેના
કવિ
વાલ્મિકીને
હવે
કરું
વંદન,
કવિકુળગુરુ
મહાન
જે
રઘુવર યશચંદન.
ભવસાગર
નૌકાસમા
વંદું
ચારે
વેદ,
વર્ણવતાં
યશ
રામનો
નથી
જેમને
ખેદ.
સંત
સુધા
શશિ
ધેનુ
છે
જેથી
પ્રગટ
થયાં,
ખલ
વિષ
તેમજ
વારુણી
સાથોસાથ
બન્યાં,
ભવસાગર
રચનાર
તે
વંદું
બ્રહ્માને,
ચરણકમળરજને
ધરું
મસ્તક
પર
પ્યારે.
પંડિત
બ્રાહ્મણ
દેવતા
ગ્રહોતણા
ચરણે
હાથ
જોડતાં
વંદતાં
વંદું
આજ
શરણે
આવ્યો
છું
સૌનાય તો
પ્રસન્ન સર્વ બનો
મંગલ મધુર મનોરથો
મારા પૂર્ણ કરો.
|