गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Effects of Naradji's foretelling

 

(चौपाई)

सुनि मुनि गिरा सत्य जियँ जानी । दुख दंपतिहि उमा हरषानी ॥
नारदहुँ यह भेदु न जाना । दसा एक समुझब बिलगाना ॥ १ ॥

सकल सखीं गिरिजा गिरि मैना । पुलक सरीर भरे जल नैना ॥
होइ न मृषा देवरिषि भाषा । उमा सो बचनु हृदयँ धरि राखा ॥ २ ॥

उपजेउ सिव पद कमल सनेहू । मिलन कठिन मन भा संदेहू ॥
जानि कुअवसरु प्रीति दुराई । सखी उछँग बैठी पुनि जाई ॥ ३ ॥

झूठि न होइ देवरिषि बानी । सोचहि दंपति सखीं सयानी ॥
उर धरि धीर कहइ गिरिराऊ । कहहु नाथ का करिअ उपाऊ ॥ ४ ॥
(दोहा)

कह मुनीस हिमवंत सुनु जो बिधि लिखा लिलार ।
देव दनुज नर नाग मुनि कोउ न मेटनिहार ॥ ६८ ॥
 

નારદજીની ભવિષ્યવાણીની પ્રતિક્રિયા

 

(દોહરો)        

મુનિવચનો સાચાં ગણી ઉમા પ્રસન્ન બની,

મેના હિમાલયે વ્યથા વેઠી ગુપ્ત ઘણી.

 

ભેદ નારદે દ્વિવિધ જાણ્યો તરત નહીં;

દશા સર્વની એક પણ વિવેક ભિન્ન કહીં.

 

સકળ સખી ગિરિજા તથા ગિરિવર મેનાએ

રોમાંચિત બનતાં સહી અશ્રુધારાને.

 

દેવર્ષિનાં વચન ના મિથ્યા હોય જરી

ઉમા એમ સમજી રહી હૃદયે સર્વ ધરી.

*

ઊપજ્યો શિવપદપંકજ સ્નેહ, મિલન કઠિન જાગ્યો સંદેહ;

વિપરીત વખત જાણી પ્રેમ છુપાવ્યો જીવનધન જેમ.

 

મિથ્યા હોય નારદ વાણ, વ્યર્થ સખી માતપિતા પ્રાણ;

ધૈર્ય ધરી બોલ્યા ગિરિરાય, કરવો કયો અમોઘ ઉપાય ?

 

(દોહરો)        

હિમવંત સુણો મુનિ વદ્યા, વિધિ જે લખે લલાટ,

દેવ દનુજ નર નાગ મુનિ મિથ્યા કરે લાખ.

       

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer