गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Dialogue between Saptarshi and Uma

 

(चौपाई)

सुनि बोलीं मुसकाइ भवानी । उचित कहेहु मुनिबर बिग्यानी ॥
तुम्हरें जान कामु अब जारा । अब लगि संभु रहे सबिकारा ॥ १ ॥

हमरें जान सदा सिव जोगी । अज अनवद्य अकाम अभोगी ॥
जौं मैं सिव सेये अस जानी । प्रीति समेत कर्म मन बानी ॥ २ ॥

तौ हमार पन सुनहु मुनीसा । करिहहिं सत्य कृपानिधि ईसा ॥
तुम्ह जो कहा हर जारेउ मारा । सोइ अति बड़ अबिबेकु तुम्हारा ॥ ३ ॥

तात अनल कर सहज सुभाऊ । हिम तेहि निकट जाइ नहिं काऊ ॥
गएँ समीप सो अवसि नसाई । असि मन्मथ महेस की नाई ॥ ४ ॥
(दोहा)

हियँ हरषे मुनि बचन सुनि देखि प्रीति बिस्वास ॥
चले भवानिहि नाइ सिर गए हिमाचल पास ॥ ९० ॥

 

ઉમા અને સપ્તર્ષિ વચ્ચેનો સંવાદ

 

સુણી સ્મિત સાથે બોલ્યાં ભવાની, કહ્યું યોગ્ય મુનિવર વિજ્ઞાની;

શિવે કામને બાળ્યો અત્યારે, રમ્યા આજ સુધી એ વિકારે.

 

હું તો સમજું શિવને સદા યોગી અજ અનવદ્ય શુચિ ને અભોગી;

સેવ્યા શિવને હો મેં એવું માની પ્રેમે મનકર્મ અર્પીને વાણી

 

મારા સંકલ્પને તો મુનીશ, સત્ય કરશે કૃપાનિધિ ઇશ.

કહો તમે બાળ્યો શિવે માર એ તો અવિવેક દીસે મહાન.

 

પહોંચે હિમ ના પાવકની પાસ, કદી પહોંચે તો પામે છે નાશ;

એવો સહજ પાવકનો સ્વભાવ, દૈવી શંકરકેરો પ્રભાવ.

 

સમજો મન્મથ શંકરભાવ, ત્યાં છે આકર્ષણકેરો અભાવ.

ક્યાંથી સ્પર્શે શંકરને કામ, એ તો અહર્નિશ આત્મારામ.

 

(દોહરો)        

હરખ્યા ઋષિ વચનો સુણી સ્તવી પ્રેમ વિશ્વાસ,

શીશ નમાવીને તરત ગયા હિમાલય પાસ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer