गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Significance of Ramayan

 

(चौपाई)

तदपि असंका कीन्हिहु सोई । कहत सुनत सब कर हित होई ॥
जिन्ह हरि कथा सुनी नहिं काना । श्रवन रंध्र अहिभवन समाना ॥ १ ॥

नयनन्हि संत दरस नहिं देखा । लोचन मोरपंख कर लेखा ॥
ते सिर कटु तुंबरि समतूला । जे न नमत हरि गुर पद मूला ॥ २ ॥

जिन्ह हरिभगति हृदयँ नहिं आनी । जीवत सव समान तेइ प्रानी ॥
जो नहिं करइ राम गुन गाना । जीह सो दादुर जीह समाना ॥ ३ ॥

कुलिस कठोर निठुर सोइ छाती । सुनि हरिचरित न जो हरषाती ॥
गिरिजा सुनहु राम कै लीला । सुर हित दनुज बिमोहनसीला ॥ ४ ॥
(दोहा)

रामकथा सुरधेनु सम सेवत सब सुख दानि ।
सतसमाज सुरलोक सब को न सुनै अस जानि ॥ ११३ ॥
 

રામકથાનું મહાત્મ્ય

 

તોપણ શંકા તમે કરી હિતને સૌનું હૃદય ધરી.

જે ના કથા સુણે હરિની, તેનાં છિદ્ર ભલેને કાન,

મહત્વ એનું અધિક નહીં, છિદ્ર સર્પનાં ભવન સમાન.

 

જે નેત્રો ન કરે દર્શન સંતતણું દર્શન સ્પર્શન,

મોરપિચ્છની આંખ સમાં નેત્રો ગોળા કાચતણા.

ગુરુચરણ ના શીશ નમે હરિને તે ના લેશ ગમે.

 

પ્રભુભક્તિ ના પ્રાણમહીં તે જન જીવે મૃતજ બની;

જીભ કરે ના હરિ ગુણગાન તો દાદુરની જીભ સમાન.

 

કુલિશ કઠોર હૃદય નિષ્ઠુર પ્રસન્નતાનાં એમાં પૂર

આવે ના હરિચરિત સુણી લીલા હરિની તેમ સ્મરી;

 

દેવોનું હિત કરનારી, મોહ અસુરને ધરનારી,

લીલા સુણો રામની આજ, શરણાગતના એ શિરતાજ.

 

(દોહરો)        

રામકથા સુરધેનુશી સેવ્યે સુખ આપે,

અવિદ્યાતિમિર ટાળતાં બંધનને કાપે.

 

સંતસમાજ શ્રેષ્ઠ છે લોક દેવતાનો,

કથા સાંભળે કેમ ના ભક્તો વિદ્વાનો ?

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer