|
શરણાગતવત્સલ
સુરનાયક હે જય
જયજય
સુખદાતા,
સંતનહિતકારી જય
અસુરારી મંગલ વિશ્વવિધાતા;
લક્ષ્મીના સ્વામી
પૃથ્વીપાલક દેવોના સંરક્ષક હે,
કર્મ અલૌકિક લીલા
અદભુત,
રહસ્ય જાણી કોણ શકે ?
છો પૂર્ણ કૃપાળુ
સ્વરૂપ ન્યારુ દયાતણા ભંડાર તમે,
કરો અનુગ્રહ
શરણાગત પર સ્તવન કરીએ આજ અમે.
જય
જય
અવિનાશી ઘટઘટવાસી વ્યાપક પરમાનંદ,
ઇન્દ્રિયાતીત અગમ
અવિચળ હે સુર
નર
સંતન
વંદ્ય;
માયાથી પર હે
મુક્તિપ્રદાયક,
ચરિત્ર દિવ્ય તમારાં,
સંપૂર્ણ
સચ્ચિદાનંદ તમોને વંદન લક્ષ અમારાં.
વૈરાગ્ય
જ્ઞાન
સંપન્ન
તમારા ચરણકમળ
અનુરાગી
જે મોહમુક્ત
યોગીન્દ્રવૃંદ કૃતકૃત્ય બન્યું બડભાગી
તે ધ્યાન તમારું
ધરે અહર્નિશ,
ગુણને ગાય તમારા,
અંતરને કરો સદા
સમલંકૃત,
દોષ જુઓ ને અમારા.
સૃષ્ટિને સરજી
ત્રિવિધ ગુણમયી વિવિધ એકલે હાથે,
ના સાથી તેમ
સહાયક રાખ્યો
કદી જેમણે સાથે;
તે પાપનાશ કરનારા
કરજો રક્ષા રોજ અમારી,
ના ભક્તિભાવ અને
આરાધન,
આશા એક તમારી.
હે ભવભયભંજન
મુનિમનરંજન વિપત્તિને હરનારા,
મન
વચન
કર્મથી
આવ્યા સ્નેહે શરણે અમે તમારા.
ના સરસ્વતી કે
શેષ વેદ કે ઋષિઓ તમને જાણે,
છો દીનજનોને
પ્રિય ગણનારા વેદો એવું માને;
ભવસાગરમંદર સુંદર
મંગલગુણમંદિર પ્રભુપ્યારા,
હે સુખના ધામ
કરીએ વંદન ચરણે ચારુ તમારા.
સિદ્ધો ને દેવો
ઋષિઓ વંદે ચરણકમળને નેહે,
ભયભીત બધા છે
કૃપા કરી દો રક્ષો પરમાત્મા હે.
(દોહરો)
દેવો ને
પૃથ્વીતણો ભય સઘળો જાણી,
પ્રેમપ્રાર્થનાને
સુણી દિવ્ય થઇ વાણી.
ગગનગિરા ગંભીર
ત્યાં એકાએક થઇ,
શોક ભ્રાંતિ
સંદેહ ને ચિંતા સર્વ શમી.
|