गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

किष्किन्धा कांड

   
< BACK

Kiskindha Kand

NEXT >

Dialouge between Ram and Hanuman

 

(चौपाई)

जदपि नाथ बहु अवगुन मोरें। सेवक प्रभुहि परै जनि भोरें ॥

नाथ जीव तव मायाँ मोहा। सो निस्तरइ तुम्हारेहिं छोहा ॥ १ ॥

ता पर मैं रघुबीर दोहाई। जानउँ नहिं कछु भजन उपाई ॥

सेवक सुत पति मातु भरोसें। रहइ असोच बनइ प्रभु पोसें ॥  

अस कहि परेउ चरन अकुलाई। निज तनु प्रगटि प्रीति उर छाई ॥

तब रघुपति उठाइ उर लावा। निज लोचन जल सींचि जुड़ावा ॥ ३ ॥

सुनु कपि जियँ मानसि जनि ऊना। तैं मम प्रिय लछिमन ते दूना ॥

समदरसी मोहि कह सब कोऊ। सेवक प्रिय अनन्यगति सोऊ ॥ ४ ॥

(दोहा)

सो अनन्य जाकें असि मति न टरइ हनुमंत।

मैं सेवक सचराचर रूप स्वामि भगवंत ॥ ३ ॥

 

શ્રીરામ અને હનુમાનજી વચ્ચે સંવાદ

 

ઘણાં અવગુણ મારામાં નાથ, તોય છોડવો ના ઘટે સાથ;

તમે ભૂલો તો ચાલે કેમ, હોય પ્રભુનો તો પાવન પ્રેમ.

 

માયાસંમોહિત જોકે જીવ તરે અનુગ્રહથી તમ શિવ !

તમે વરસો કૃપાની ના વર્ષા તો તો જીવ બધા રહે તરસ્યા.

 

કર્યું ભજન નથી મેં કાંઇ, વળી સાધના ના કશી સાંઇ;

રહે સેવક સ્વામી ભરોસે માતા બાળકને વળી પોષે.

તેમ ભક્તને ચિંતા કશી ના, પ્રભુ સંભાળે એને જગે આ.

 

પડ્યા ચરણોમાં અંજનીપુત્ર, ધાર્યું પોતાનું અસલ સ્વરૂપ;

આપ્યું રામે આલિંગન ત્યારે, કર્યા શીતળ અશ્રુની ધારે.

 

તમે કપિવર ઓછું ના આણો, પ્રિય અનુજથી દ્વિગુણિત જાણો;

મને સમદર્શી સઘળા જાણે, છતાં ભક્ત વસે મારા પ્રાણે.

 

(દોહરો) 

અનન્ય ગતિ સેવક મને પ્રિય છે અધિક ખરે,

પ્રિય અપ્રિય જોકે મને કોઇયે ન મળે.

 

એ અનન્ય જેની કદી મતિ ન મટે હનુમંત,

હું સેવક સચરાચર રૂપ પરમ ભગવંત.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer