गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Hanuman updates Bharat on Ram-Laxman

 

(चौपाई)

तात कुसल कहु सुखनिधान की। सहित अनुज अरु मातु जानकी ॥

कपि सब चरित समास बखाने। भए दुखी मन महुँ पछिताने ॥ १ ॥

अहह दैव मैं कत जग जायउँ। प्रभु के एकहु काज न आयउँ ॥

जानि कुअवसरु मन धरि धीरा। पुनि कपि सन बोले बलबीरा ॥ २ ॥

तात गहरु होइहि तोहि जाता। काजु नसाइहि होत प्रभाता ॥

चढ़ु मम सायक सैल समेता। पठवौं तोहि जहँ कृपानिकेता ॥ ३ ॥

सुनि कपि मन उपजा अभिमाना। मोरें भार चलिहि किमि बाना ॥

राम प्रभाव बिचारि बहोरी। बंदि चरन कह कपि कर जोरी ॥ ४ ॥

(दोहा)

तव प्रताप उर राखि प्रभु जेहउँ नाथ तुरंत।

अस कहि आयसु पाइ पद बंदि चलेउ हनुमंत ॥ ६०(क) ॥ 

भरत बाहु बल सील गुन प्रभु पद प्रीति अपार।

मन महुँ जात सराहत पुनि पुनि पवनकुमार ॥ ६०(ख) ॥

 

હનુમાનજી ભરતને રામ-લક્ષ્મણના સમાચાર જણાવે છે

 

કહો કુશળતા સુખનિધાનની સહિત અનુજ અને માત જાનકી;

કપિએ કહ્યો કથાસંક્ષેપ, સુણતાં થયો ભરતને ખેદ.

 

દૈવ, જગે હું જનમ્યો કેમ; રામનો પ્રબળ પ્રાણે પ્રેમ,

તોપણ કામ ન આવ્યો એક, નિરર્થક થયું જીવન છેક.

 

ધૈર્ય ધર્યું અશુભ ગણી કાળ, કહ્યાં વચન ભરતે તત્કાળ,

જતાં લાગશે તમને વાર, કામ બગડશે થતાં સવાર;

ચઢો બાણ પર શૈલ સમેત પહોંચાડું જ્યાં કૃપાનિકેત.

 

કપિમનમાં ઊપજ્યું અભિમાન, મુજ ભારે નહિ ચાલે બાણ;

કરતાં રામપ્રભાવ વિચાર કપિએ કહ્યું જોડતાં હાથ.

 

(દોહરો)   

પ્રતાપ સ્મરતાં આપનો જઈશ નાથ, તુરંત;

ભરતચરણ વંદન કરી ચાલ્યા શ્રીહનુમંત.

 

ભરત બાહુબળ શીલગુણ પ્રભુપદપ્રીત અપાર,

વારંવાર વખાણતા ચાલ્યા પવનકુમાર.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer