गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Hanuman meets Ram

 

(चौपाई) 

जामवंत कह सुनु रघुराया । जा पर नाथ करहु तुम्ह दाया ॥
ताहि सदा सुभ कुसल निरंतर । सुर नर मुनि प्रसन्न ता ऊपर ॥ १ ॥
सोइ बिजई बिनई गुन सागर । तासु सुजसु त्रैलोक उजागर ॥
प्रभु कीं कृपा भयउ सब काजू । जन्म हमार सुफल भा आजू ॥ २ ॥
नाथ पवनसुत कीन्हि जो करनी । सहसहुँ मुख न जाइ सो बरनी ॥
पवनतनय के चरित सुहाए । जामवंत रघुपतिहि सुनाए ॥ ३ ॥
सुनत कृपानिधि मन अति भाए । पुनि हनुमान हरषि हियँ लाए ॥
कहहु तात केहि भाँति जानकी । रहति करति रच्छा स्वप्रान की ॥ ४ ॥
(दोहा)
नाम पाहरू दिवस निसि ध्यान तुम्हार कपाट ।
लोचन निज पद जंत्रित जाहिं प्रान केहिं बाट ॥ ३० ॥

 

હનુમાનજી રામને મળે છે

 

બોલ્યા જામવંત રઘુરાય, તમે જેને કરો છો સહાય,

શુભ કુશળ તે મંગલ તેનું, શકે કોણ બગાડી એનું ?

 

એની ઉપર સર્વ પ્રસન્ન થાય, કરો કૃપાનું વર્ષણ

તે વિજયી વિનયી ગુણસાગર યશ પામે ત્રિલોકઉજાગર.

 

થયું પ્રભુની કૃપાથી કાજ, જન્મ સફળ અમારો આજ.

કરી પવનસુતે જે કરણી મુખે સહસ્ત્ર જાય ના વરણી.

 

જામવંતે સુણાવ્યું ચરિત્ર, સુણ્યું રામે લગાડીને ચિત્ત;

થયા મુદિત કૃપાનિધિ રામ ભેટયા હનુમાનને કૃતકામ.

 

(દોહરો)   

કેવી રીતે જાનકી વસી રહી વનમાં,

ધારે કેમ કરી વળી પ્રાણ કહો તનમાં ?

 

નામ પહેરેગીર ને ધ્યાન તમારું કમાડ,

લોચન નિજ પદમાં સ્થિર, પ્રાણ જાય કયી વાટ ?

 

રાતદિવસ અંતર કરે તમારી પૂજા

બોલ્યા કપિવર દેવ ના કોઈએ દૂજા.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer