गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Ravana ignores Vibhishan's advise

 

(चौपाई) 

बुध पुरान श्रुति संमत बानी । कही बिभीषन नीति बखानी ॥
सुनत दसानन उठा रिसाई । खल तोहि निकट मृत्य अब आई ॥ १ ॥
जिअसि सदा सठ मोर जिआवा । रिपु कर पच्छ मूढ़ तोहि भावा ॥
कहसि न खल अस को जग माहीं । भुज बल जाहि जिता मैं नाहीं ॥२ ॥
मम पुर बसि तपसिन्ह पर प्रीती । सठ मिलु जाइ तिन्हहि कहु नीती ॥
अस कहि कीन्हेसि चरन प्रहारा । अनुज गहे पद बारहिं बारा ॥ ३ ॥
उमा संत कइ इहइ बड़ाई । मंद करत जो करइ भलाई ॥
तुम्ह पितु सरिस भलेहिं मोहि मारा । रामु भजें हित नाथ तुम्हारा ॥४ ॥
सचिव संग लै नभ पथ गयऊ । सबहि सुनाइ कहत अस भयऊ ॥ ५ ॥
(दोहा)
रामु सत्यसंकल्प प्रभु सभा कालबस तोरि ।
मैं रघुबीर सरन अब जाउँ देहु जनि खोरि ॥ ४१ ॥
 

રાવણ વિભિષણને લાત મારે છે

 

બુધપુરાણ શ્રુતિસંમત વાણ વદ્યા વિભીષણ નીતિ મહાન,

ક્રોધિત થયો દશાનન તોય, ખલ છે મૃત્યુ નિકટ તુજ ઘોર.

 

જીવે શઠ મુજથી તું રોજ છતાં શત્રુની કરતો ખોજ,

પસંદ રિપુનો પક્ષ કરે, મારું હિત ના ધ્યાન ધરે.

એવું જગમાં કોણ નથી હાર્યું જે નવ શક્તિથકી ?

 

મુજ પુર વસી તપસ્વીપ્રીત; તેને મળતાં શીખવ નીતિ;

કહીને કર્યો ચરણપ્રહાર; ગ્રહ્યા પદ છતાં વારંવાર.

 

મહાનતા સંતતણી, કરે અમંગલ કદી નહીં,

દુર્જનનું પણ શુભ કરે, વિષને બદલે સુધા ધરે.

 

માર્યો મુજને ભલે તમે, માતાપિતાસમ પૂજ્ય તમે,

તોપણ વચનો સત્ય કહું રામભજનમાં શ્રેય રહ્યું.

 

(દોહરો)   

વદતાં એમ વિભીષણ સચિવ લઈને સાથ

નભમાર્ગે આગળ વધ્યા ફરી કહીને વાત.

 

રામ સત્યસંકલ્પ પ્રભુ, સભા કાળવશ ,

દોષ દેશો રામના જઉં શુચિ ચરણમાં.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer