गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

उत्तरकांड

   
< BACK

Uttar Kand

NEXT >

Sage Lomash's curse to Kakbhushundi

 

(चौपाई)

कबहुँ कि दुख सब कर हित ताकें। तेहि कि दरिद्र परस मनि जाकें ॥

परद्रोही की होहिं निसंका। कामी पुनि कि रहहिं अकलंका ॥ १ ॥

बंस कि रह द्विज अनहित कीन्हें। कर्म कि होहिं स्वरूपहि चीन्हें ॥

काहू सुमति कि खल सँग जामी। सुभ गति पाव कि परत्रिय गामी ॥ २ ॥

भव कि परहिं परमात्मा बिंदक। सुखी कि होहिं कबहुँ हरिनिंदक ॥

राजु कि रहइ नीति बिनु जानें। अघ कि रहहिं हरिचरित बखानें ॥ ३ ॥

पावन जस कि पुन्य बिनु होई। बिनु अघ अजस कि पावइ कोई ॥

लाभु कि किछु हरि भगति समाना। जेहि गावहिं श्रुति संत पुराना ॥ ४ ॥

हानि कि जग एहि सम किछु भाई। भजिअ न रामहि नर तनु पाई ॥

अघ कि पिसुनता सम कछु आना। धर्म कि दया सरिस हरिजाना ॥ ५ ॥

एहि बिधि अमिति जुगुति मन गुनऊँ। मुनि उपदेस न सादर सुनऊँ ॥

पुनि पुनि सगुन पच्छ मैं रोपा। तब मुनि बोलेउ बचन सकोपा ॥ ६ ॥

मूढ़ परम सिख देउँ न मानसि। उत्तर प्रतिउत्तर बहु आनसि ॥

सत्य बचन बिस्वास न करही। बायस इव सबही ते डरही ॥ ७ ॥

सठ स्वपच्छ तब हृदयँ बिसाला। सपदि होहि पच्छी चंडाला ॥

लीन्ह श्राप मैं सीस चढ़ाई। नहिं कछु भय न दीनता आई ॥ ८ ॥

(दोहा)

तुरत भयउँ मैं काग तब पुनि मुनि पद सिरु नाइ।

सुमिरि राम रघुबंस मनि हरषित चलेउँ उड़ाइ ॥ ११२(क) ॥  

उमा जे राम चरन रत बिगत काम मद क्रोध ॥

निज प्रभुमय देखहिं जगत केहि सन करहिं बिरोध ॥ ११२(ख) ॥

 

કાકભુશુંડિજીએ ઉપદેશ ન સુણતાં લોમશ મુનિ શાપ આપે છે

 

(દોહરો)

સૌનું શુભ ચાહ્યે કદી દુ:ખ શકે આવી,

પારસમણિ જો હોય તો દૈન્ય શકે ફાવી ?

 

નિષ્કલંક કામી રહે પરદ્રોહી નિશ્શંક,

દ્વિજનું અહિત કર્યા થકી રહી શકે છે વંશ ?

 

સ્વરૂપજ્ઞાન પછી બને અહંકારમય કર્મ ?

દુષ્ટ સંગથી જાગતાં સદબુદ્ધિ કે ધર્મ ?

 

પરસ્ત્રીગામી સ્વપ્નમાં સદગતિ પ્રાપ્ત કરે ?

પરમાત્મા જાણ્યા પછી બંધ બધા ન ટળે ?

 

હરિનિંદકને સુખ મળે, નીતિ વિણ રહે રાજ ?

હરિચરિત્ર ગાયા પછી જીવે પાપસમાજ ?

 

પુણ્ય વિના શુચિ યશ મળે, અપયશ ના જો પાપ ?

શ્રુતિ પુરાણ સંતો કહે અન્ય ભક્તિશો લાભ ?

 

નરતન પામી રામને ભાવ કરી ન ભજાય,

એના સરખી હાનિ શી ? પશુતાને ન તજાય,

 

એથી વધુ પાતક કયું ? દયા સદાય ભજાય,

એથી ઉત્તમ ધર્મ શો સેવાભાવ સજાય ?

 

એમ વિચારી મેં સુણ્યો સાદર ના ઉપદેશ,

સગુણ પક્ષને સ્થાપતાં; ત્યારે મુનિ વિહગેશ,

 

વદ્યા ક્રોધથી મૂઢ ના મારી માને વાત,

વાદ કરે વાયસસમો ડરે પ્રિય ગણી જાત.

 

સ્વપક્ષનો આગ્રહ કરે માટે બન તું કાગ,

ભય કે દૈન્ય સિવાય મેં સ્વીકાર્યો એ શાપ.

*

સત્વર બનતાં કાગ હું મુનિપદ કરી પ્રણામ,

સ્મરી રામ રઘુવંશમણિ ચાલ્યો સુખે તમામ.

 

રામચરણરત ભક્ત જે વિગત કામમદક્રોધ,

નિજ પ્રભુમય જગ પેખતા કોનો કરે વિરોધ ?

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer