|
Chapter
16
: Verses 01 - 04
|
|
श्रीभगवानुवाच |
|
શ્રી ભગવાન કહે
છેઃ |
|
દૈવી સંપત્તિનું વર્ણન |
|
अभयं
सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः ।
दानं
दमश्च यज्ञश्च
स्वाध्यायस्तप
आर्जवम् ॥१६-१॥ |
ડરવું કોઈથી નહીં, થવું સદા શૂરવીર,
ખેલ કરી કસરત કરી, કરવું સરસ શરીર.
|
પ્રભુનાં બાળક છે બધાં, એમ સદા સમજી,
પ્રભુને જોવા સર્વમાં ભેદ બધાંય તજી.
|
સાપ, સિંહ ને ડાકુથી ડરવું ના કદિકાળ,
રક્ષક છે પ્રભુ સર્વના, ડરવું ના કદિકાળ.
|
ચોરી તેમજ જૂઠ ને નિંદાથી ડરવું,
બાકી કાયરતા તજી સંસારે ફરવું,
|
ઘર્મનીતિથી ચાલવું, પ્રભુથી કરવી પ્રીત,
ડરવું ઇશ્વર એકથી, થઇ જાઇ તો જીત.
|
વસ્ત્ર જેમ ધોવાય છે ધોવું મન તેવું,
દુર્ગુણ તેમજ દ્વેષને સ્થાન જ ના દેવું.
|
જ્ઞાન પામવું તે બધું ધરવું ખૂબ જ ધ્યાન,
ઉતારવું જીવનમહીં ઉત્તમ એવું જ્ઞાન.
|
મન હંમેશા મારવું, બનતું કરવું દાન,
અનાથ દુઃખી દીનને અન્નવસ્ત્રનું દાન.
|
ધનથી બીજી શકિતથી કરવાં સૌનાં કામ,
થવું કદી સ્વાર્થી નહી, ભજવા આતમરામ.
|
મન વાણી ને દેહનો સંયમ પણ કરવો,
પણ અભિમાન ન રાખવું, નમ્ર ભાવ ધરવો.
------- |
|
अहिंसा
सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् ।
दया
भूतेष्वलोलुप्त्वं मार्दवं
ह्रीरचापलम् ॥१६-२॥ |
હિંસા કરવી ના કદી, સત્ય વળી વદવું,
ઝેર ક્રોધને જાણવું, વેર વળી તજવું.
|
શાંત ચિત્તથી બોલવું, વસવું આ જગમાં,
દયા દીન પર લાવવી, મધુર થવું દગમાં.
|
ખોટા કામોમાં સદા લજ્જાને ધરવી,
લોલુપતા ના રાખવી, ચંચળતા હરવી.
------- |
|
तेजः क्षमा
धृतिः शौचमद्रोहो नातिमानिता ।
भवन्ति
संपदं दैवीमभिजातस्य भारत
॥१६-३॥ |
તેજસ્વી બનવું, વળી ક્ષમા સદા કરવી,
દ્રોહ ન કરવો ને સદા ધીરજને ધરવી.
|
અહંકાર ના રાખવો, કરવું શુધ્ધ શરીર,
દૈવી ગુણવાળાતણા ગુણ આ, અર્જુન વીર.
------- |
|
॥ अथ श्रीमद् भगवद गीता
॥ |
|
|
महात्म्य
|
ध्यान
| |
|
Chapter :
01
|
02
| 03
|
04
|
05
|
06
|
07
|
08
|
|
|
|
09
|
10
|
11
|
12
|
13
|
14
|
15
|
16
|
17
|
18
| |