An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

केनोपनिषद ॥

     
   
< BACK

  < Kena Upanishad >

NEXT >

CHAPTER 3 : Verse 03

 

तेऽग्निमब्रुवञ्जातवेद एतद्विजानीहि किमिदं यक्षमिति तथेति ॥३॥

 

અર્થઃ

તે - એ ઇન્દ્રાદિ દેવોએ

અગ્નિમ્ - અગ્નિદેવને

ઇતિ - એવું

અબ્રુવન - કહ્યું

જાતવેદઃ - હે જાતવેદા

એતત્ - એ વાતની

વિજાનીહિ - સારી પેઠે માહિતી મેળવો

ઇદમ યક્ષમ્ - આ યક્ષ

કિમ્ ઇતિ - કોણ છે

તથા ઇતિ - અગ્નિએ કહ્યું કે સારું.

 

ભાવાર્થઃ

યક્ષના એવા અદભૂત આશ્ચર્યકારક અસાધારણ સ્વરૂપને જોઇને દેવોને ખૂબ જ વિસ્મય થયો. એ સ્વરૂપના રહસ્યને એ સમજી શક્યા નહીં. એમને થયું કે આ યક્ષ કોણ હશે ? એમની પાસે પહોંચીને એના વિશે શક્યા એટલી સઘળી માહિતી મેળવવાનું કાર્ય એમણે અગ્નિદેવને સોંપ્યું. અગ્નિને માટે અહીં જાતવેદા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અગ્નિદેવ અત્યંત ઓજસ્વી છે, સૌના સાક્ષી છે, વેદાર્થને જાણનારા છે, અને જગતના જુદાજુદા પદાર્થોને જાણે છે, એટલા માટે એમને જાતવેદા કહ્યા છે. દેવોએ એમને પોતાના પ્રતિનિધિ બનાવ્યા.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer