An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

केनोपनिषद ॥

     
   
< BACK

  < Kena Upanishad >

NEXT >

CHAPTER 4 : Verse 02

 

तस्माद्वा एते देवा अतितरामिवान्यान्देवान्यदग्निर्वायुरिन्द्रस्ते ।

ह्येनन्नेदिष्ठं पस्पर्शुस्ते ह्येनत्प्रथमो विदाञ्चकार ब्रह्मेति ॥२॥

 

અર્થઃ

તસ્માત્ વૈ - એટલા માટે

એતે દેવાઃ - એ ત્રણે દેવો

યત્ - જે

અગ્નિઃ - અગ્નિ

વાયુઃ - વાયુ

ઇન્દ્રઃ - ઇન્દ્રના નામથી પ્રખ્યાત છે.

અન્યાન્ - બીજા (ચંદ્રમા જેવા)

દેવાન્ - દેવો કરતાં

અતિતરામ્ ઇવ - જાણે કે શ્રેષ્ઠ છે.

હિ - કારણ કે

તે - એમણે જ

એનત્ નેદિષ્ઠમ્ - એ અત્યંત પ્રિય સમીપસ્થ પરમાત્માને

પસ્પૃશુઃ - એમની પાસે પહોંચીને અનુભવ્યા

તે હિ - એમણે જ

એનત્ - એમને

પ્રથમઃ - સૌની પહેલાં

વિદાંચકાર - જાણ્યા (કે)

બ્રહ્મ ઇતિ - એ પરબ્રહ્મ પરમાત્મા છે.

 

ભાવાર્થઃ

પરમાત્માની પાસે પહોંચવાનું, એમને અનુભવવાનું, અને એમના મહિમાને જાણવાનું સદભાગ્ય સૌથી પહેલાં અગ્નિ, વાયુ અને ઇન્દ્રને જ સાંપડી શકેલું. એમના સિવાયના દેવો એ સદભાગ્યથી વંચિત હતા. તેથી બીજા બધા દેવો કરતાં એ ત્રણે દેવો વધારે ભાગ્યશાળી અને શ્રેષ્ઠ છે. પરમાત્માના વાસ્તવિક મૂળભૂત મંગલમય મહિમાને એ ત્રણે દેવો સૌથી પહેલાં સમજી શક્યા.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer