An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

केनोपनिषद ॥

     
   
< BACK

  < Kena Upanishad >

NEXT >

CHAPTER 4 : Verse 08

 

तसै तपो दमः कर्मेति प्रतिष्ठा वेदाः सर्वाङ्गानि सत्यमायतनम् ॥८॥

 

અર્થઃ

તસ્યૈ - એ બ્રહ્મવિદ્યાના

તપઃ - તપ

દમઃ - મન તથા ઇન્દ્રિયોનો સંયમ (અને)

કર્મ - કર્મ

ઇતિ - એ ત્રણે

પ્રતિષ્ઠાઃ - આધાર છે.

વેદાઃ - વેદ

સર્વાંગાનિ - એ વિદ્યાના સંપૂર્ણ અંગ છે.

સત્યમ્ - સત્યસ્વરૂપ પરમાત્મા

આયતનમ્ - એનાં અધિષ્ઠાન અથવા પ્રાપ્તવ્ય છે.

 

ભાવાર્થઃ

ગુરુની પાસે પહોંચીને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ તો મેળવી લીધો પરંતુ એટલાથી જ, કેવળ બૌદ્ધિક જ્ઞાન અથવા સમાધાનથી, પરમાત્માનો સાક્ષાત્કાર થઇ શકે ખરો ? એવી રીતે જો સાક્ષાત્કાર થતો હોત તો તો પંડિતો કે વિદ્વાનોને વહેલો થાત. સાક્ષાત્કાર માટે તો બૌદ્ધિક જ્ઞાનને મેળવીને બેસી રહેવાને બદલે, જીવનને બદલવા, પવિત્ર, સંયમી તથા પરમાત્મપરાયણ બનાવવા માટે તૈયાર રહેવું જોઇએ. એને માટે તપ, સંયમ અને નિષ્કામ કર્મના અથવા સ્વધર્મના સમ્યક અનુષ્ઠાનનો આધાર લેવો જોઇએ. વેદનો એમના અંગો સાથે અભ્યાસ કરવો જોઇએ. અને દ્રઠ નિશ્ચય કરવો જોઇએ કે પરમાત્મા જ પરમ પ્રાપ્તવ્ય છે, જીવનમાં એમની જ પ્રાપ્તિ કરવા જેવી છે. બીજું બધું જ ગૌણ છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer