|
અર્થઃ
પંચસ્ત્રોતાઙમ્બુમ્ - પાંચ પ્રવાહોવાળા વિષયરૂપી પાણીથી ભરપૂર
પંચયોન્યુગ્રવકોમ્ - પાંચ સ્થાનોથી પેદા થઇને ભયંકર અને વાંકી ગતિથી આગળ
વધનારી
પંચપ્રાણોર્મિમ્ - પાંચ પ્રાણના તરંગોવાળી
પંચબુદ્ધ્યાદિમૂલામ્ - પાંચ પ્રકારના જ્ઞાનના મૂળ કારણ મનરૂપી મૂળવાળી
પંચાવર્તામ્ - પાંચ ઘુમરીવાળી
પંચદુઃખૌદ્યવેગામ્ - પાંચ દુઃખોના પ્રવાહને વેગવાળી
પંચાશદ્ ભેદામ્ - પચાસ ભેદવાળી
પંચપર્વામ્ - પાંચ પર્વોવાળી (નદીને)
અધીમઃ - અમે જાણીએ છીએ.
|
|
ભાવાર્થઃ
આગલા શ્ર્લોકમાં સંસારને ચક્ર સાથે સરખાવીને આ શ્ર્લોકમાં સરિતાની સાથે
સરખાવવામાં આવે છે. સ્વાનુભવસંપન્ન સ્વનામધન્ય ઋષિ જણાવે છે કે સંસારરૂપી
સરિતાના રહસ્યને અમે જાણીએ છીએ. એ સરિતા કેવી છે ? એમાં પાંચ
જ્ઞાનેન્દ્રિયોના પાંચ પ્રવાહો છે. સંસારનું જ્ઞાન એ પાંચ જ્ઞાનેન્દ્રિયો
દ્વારા જ થતું હોય છે. એ ઇન્દ્રિયો પાંચ સૂક્ષ્મ ભૂતોથી ઉત્પન્ન થઇ હોવાથી
એમને એ સરિતાનાં પાંચ પ્રાદુર્ભાવ સ્થાન માન્યાં છે. એ સરિતા જેટલી સમજવામાં
આવે છે એટલી સરળ નથી. રહસ્યથી ભરેલી, ભલભલાને ભરમાવનારી, ભયભીત કરનારી અને
પોતાનાં પાશમાં બાંધનારી કહેવાય છે. એની ગતિ ઘણી જ ગહન છે. પ્રાણ એ
સંસારસરિતની તરંગમાળા છે. કારણ કે સંસારમાં જે કાંઇ નાનીમોટી
ક્રિયા-પ્રક્રિયા થતી દેખાય છે તેની પાછળ પ્રાણનું પ્રેરક બળ રહેલું છે. મનને
એ સંસાર-સરિતાનું મૂળ કહ્યું છે. કારણ કે મન ના હોય તો કેવળ ઇન્દ્રિયોથી
સંસારનો બોધ થતો નથી. મન જ એને અનુભવે છે. મન શાંત થાય તો સંસારનું
અનુભવ-દ્વાર પણ બંધ થાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ પાંચ વિષયની પાંચ
ધૂમરી છે. એમાં ફસાયેલા જીવ ક્લેશ, દુઃખ, બંધન, અશાંતિનો અનુભવ કરે છે. જન્મ,
જરા, વ્યાધિ, મૃત્યુ અને ગર્ભવાસનાં પાંચ પ્રકારના દુઃખ એનાં પાંચ વેગ છે. એ
વેગ જીવને પીડા પહોંચાડે છે ને બેચેન બનાવે છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ
અને અભિનિવેશ એ પાંચ ક્લેશ સંસારરૂપી સરિતાના પાંચ પર્વ કે વિભાગ છે.
અંતઃકરણની પચાસ વૃતિઓ એના પચાસ ભેદ છે. એમને લીધે જ સંસારમાં ભેદભાવનું દર્શન
શક્ય બને છે. સંસારની એ અદભૂત સરિતાના સાચા સ્વરૂપને કોઇક વિરલ ધીરવીર
પુરુષ-વિશેષ જ સમજી શકે છે. |