An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 1 : Verse 06

 

सर्वाजीवे सर्वसंस्थे बृहन्ते अस्मिन् हंसो भ्राम्यते ब्रह्मचक्रे ।

पृथगात्मानं प्रेरितारं च मत्वा जुष्टस्ततस्तेनामृतत्वमेति ॥६॥

 

અર્થઃ

અસ્મિન્ - આ

સર્વાજીવે - સૌના જીવનરૂપ

સર્વસંસ્થે - સૌના આશ્રયભૂત

બૃહન્તે - વિશાળ

બ્રહ્મચક્રે - બ્રહ્મચક્રમાં

હંસઃ - જીવાત્મા

ભ્રામ્યતે - ફેરવાયા કરે છે.

(સઃ - તે)

આત્માનમ્ - પોતાને

ચ - અને

પ્રેરિતારમ્ - પ્રેરક પરમાત્માને

પૃથક્ - પૃથક્ રીતે

મત્વા - જાણીને

તતઃ - એ પછી

તેન - એ પરમાત્મા દ્વારા

જુષ્ટઃ - સ્વીકારાઇને

અમૃતત્ત્વમ્ - અમૃતભાવને

એતિ - પામી લે છે.

 

ભાવાર્થઃ

સંસારચક્રની વિશાળતાનો પાર નથી. એ ચક્ર દેવથી માંડીને તિર્યંક યોનિ સુધી વ્યવસ્થિત રીતે ફેલાયેલું છે. એ સૌના આશ્રયરૂપ અથવા જીવનરૂપ છે. સૌ કોઇ એનો આધાર લઇને ટકે છે, કર્મફળને ભોગવે છે, અને જીવન પસાર કરે છે. જીવાત્મા કર્મફળના ઉપભોગ માટે એ ચક્રમાં જુદીજુદી યોનિઓનો આધાર લઇને ફરતો રહે છે. એ ચક્રમાંથી એને મુક્તિ ક્યારે મળે ? સંસારચક્રને ચલાવનારા પરમાત્માને જાણી તથા પામી લે ત્યારે. એ પરમપ્રેમથી પ્રેરાઇને પરમાત્માનું સર્વભાવે શરણ લે છે ત્યારે પરમાત્મા એની આગળ પોતાના રહસ્યને ખોલી દે છે, એને અપનાવે છે, અને સર્વપ્રકારે કૃતાર્થ કરે છે. એમના અનંત અનુગ્રહને અનુભવીને એ સંસારચક્રમાંથી મુક્તિ મેળવે છે અને અમૃતમય બનીને સનાતન શાંતિની પ્રાપ્તિ કરે છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer