An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 1 : Verse 10

 

क्षरं प्रधानममृताक्षरं हरः क्षरात्मानावीशते देव एकः ।

तस्याभिध्यानाद्योजनात्तत्त्व भावात् भूयश्चान्ते विश्वमायानिवृत्तिः ॥१०॥

 

અર્થઃ

પ્રધાનમ્ - પ્રકૃતિ તો

ક્ષરમ્ - વિનાશી છે.

હરઃ - એને ભોગવનારો જીવાત્મા

અમૃતાક્ષરમ્ - અમૃત સ્વરૂપ અવિનાશી છે.

ક્ષરાત્માનૌ - એ વિનાશશીલ જડ તત્વ અને ચેતન આત્મા બંનેને

એકઃ - એક

દેવઃ - ઇશ્વર

ઇશતે - શાસનમાં રાખે છે. (એવું જાણીને)

તસ્ય - એમનું

અભિધ્યાનાત્ - સતત ધ્યાન કરવાથી

યોજનાત્ - મનને એમની અંદર જોડવાથી

ચ - અને

તત્વભાવાત્ - તન્મય થઇ જવાથી

અન્તે - આખરે (એમની પ્રાપ્તિ થાય છે)

ભૂયઃ - પછી

વિશ્વમાયાનિવત્તિઃ - સમસ્ત માયાની નિવૃતિ થાય છે.

 

ભાવાર્થઃ

પ્રકૃતિ પરિવર્તનશીલ છે. એકસરખા સ્વરૂપમાં નથી રહેતી. વિનાશી છે. પરંતુ એનો ઉપભોગ કરનારો જીવાત્મા નાશ નથી પામતો. અમૃતમય તથા અપરિવર્તનશીલ છે. એ બંનેના અધિશ્વર ઇશ્વર છે. એ સર્વોપરી હોવાથી એમને નિયંત્રણમાં રાખે છે. એમને સૌના સ્વામી સમજીને એમનું ધ્યાન ધરવું જોઇએ અને મનને એમનામાં જોડવું જોઇએ. એમનું સર્વભાવે શરણ લઇને એમને ભજવા જોઇએ. એવું કરવાથી છેવટે એમનો સાક્ષાત્કાર થાય છે ને સર્વપ્રકારની અવિદ્યામાંથી મુક્તિ મળે છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer