An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 2 : Verse 03

 

युक्त्वाय मनसा देवान् सुवर्यतो धिया दिवम् ।

बृहज्ज्योतिः करिष्यतः सविता प्रसुवाति तान् ॥३॥

 

અર્થઃ

સવિતા - સર્વનું સર્જન કરનારા પરમાત્મા

સુવઃ - સ્વર્ગાદિ લોકમાં (અને)

દિવમ્ - આકાશમાં

યતઃ - ગમન કરનારા (તથા)

બૃહત્ - વિશાળ

જ્યોતિઃ - પ્રકાશ

કરિષ્યતઃ - ફેલાવનારા

તાન્ - તે (મન-ઇન્દ્રિયોના અધિષ્ઠાતા)

દેવાન્ - દેવોને

મનસા - અમારા મનથી (ને)

ધિયા - બુદ્ધિથી

યુક્ત્વાય - જોડીને (પ્રકાશ પહોંચાડવા માટે)

પ્રસુવાતિ - પ્રેરણા કરે છે (અથવા કરે).

 

ભાવાર્થઃ

મન અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા સ્વર્ગાદિ લોકોમાં વિચરનારા, આકાશમાં વિહરનારા અને પ્રખર પ્રકાશ ફેલાવનારા છે. એ દેવોની શક્તિને અમારા મન અને અમારી બુદ્ધિ સાથે જોડીને, પરમ કૃપાળુ પરમાત્મા અમને પ્રકાશ પ્રદાન કરવાની પ્રેરણા કરે, જેથી એ પરમાત્માનો સાક્ષાત્કાર ધ્યાનાવસ્થામાં સુલભ બને. અમારું મન સદા નિર્મળ અને મંગલ રહે, અમારી બુદ્ધિ પણ સ્વસ્થ બને અને જીવન સર્વપ્રકારે સાર્થક થાય.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer