An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 2 : Verse 15

 

यदात्मतत्त्वेन तु ब्रह्मतत्त्वं दीपोपमेनेह युक्तः प्रपश्येत् ।

अजं ध्रुवं सर्वतत्त्वैर्विशुद्धं ज्ञात्वा देवं मुच्यते सर्वपापैः ॥१५॥

 

અર્થઃ

તુ - એ પછી

યદા - જ્યારે

યુક્તઃ - યોગી

ઇહ - અહીં

દીપોપમેન - દીપકની પેઠે (પ્રકાશમય)

આત્મતત્વેન - આત્મતત્વથી

બ્રહ્મતત્વમ્ - બ્રહ્મતત્વને

પ્રપશ્યેત્ - સારી રીતે પ્રત્યક્ષ કરે છે

(તદા સઃ - ત્યારે તે)

અજમ્ - અજન્મા

ધ્રુવમ્ - નિશ્ચળ

સર્વતત્વૈઃ - સઘળાં તત્વોથી

વિશુદ્ધમ્ - વિશુદ્ધ

દેવમ્ - દેવોના દેવ પરમદેવ પરમાત્માને

જ્ઞાત્વા - જાણીને

સર્વપાશૈઃ - બધાં બંધનોથી

મુચ્યતે - મુક્તિ મેળવે છે.

 

ભાવાર્થઃ

યોગીનો અંતરંગ અનુભવ એ પછી એક ડગલું આગળ વધે છે. એનો ઉલ્લેખ આવશ્યક, આવકારદાયક, આનંદજનક છે. દીપકના પ્રકાશની મદદથી જેમ બીજા પદાર્થ પેખી શકાય છે તેમ, આત્મતત્વના અનુભવ સુધી પહોંચેલો યોગી પરમાત્વ-તત્વનો સાક્ષાત્કાર કરે છે. એ પરમાત્મા અજન્મા, અચળ, સૌથી વધારે વિશુદ્ધ, સર્વશ્રેષ્ઠ તથા દેવોના દેવ છે. એમના અલૌકિક દિવ્ય દેવદુર્લભ દર્શનનો લાભ મેળવીને યોગી વાસના, કામના, અશાંતિ, મોહ, ભેદ અને અવિદ્યાનાં બધાં જ બંધનમાંથી મુક્તિ મેળવે છે ને ધન્ય બને છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer