An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 2 : Verse 17

 

यो देवो अग्नौ योऽप्सु यो विश्वं भुवनमाविवेश ।

य ओषधीषु यो वनस्पतिषु तस्मै देवाय नमो नमः ॥१७॥

 

અર્થઃ

યઃ - જે

દેવઃ - દેવોના દેવ પરમાત્મા

અગ્નૌ - અગ્નિમાં

યઃ - જે

અપ્સુ - પાણીમાં

યઃ - જે

વિશ્વમ્ ભુવનમ્ આવિવેશ - સમસ્ત બ્રહ્માંડ કે લોકલોકાંતરમાં પ્રવેશેલા છે.

યઃ - જે

ઓષધીષુ - ઔષધિમાં

યઃ - જે

વનસ્પતિષુ - વનસ્પતિમાં છે,

તસ્યૈ દેવાય - એ પરમદેવ પરમાત્માને

નમઃ - પ્રણામ છે.

નમઃ - નમસ્કાર અથવા પ્રણામ છે.

 

ભાવાર્થઃ

યોગી પહેલાં પરમાત્માને પોતાની અંદર પેખે છે અને એ પછી એનો અનુભવ વિસ્તૃત બનતાં સમસ્ત જગતમાં, જડચેતનાત્મક પદાર્થોની અંદર અને એમના રૂપમાં એમનું દર્શન કરે છે, એમનું દૈવી વિશ્વરૂપદર્શન એને સારુ સહજ બને છે. એ પરમદેવ પરમાત્માને એ અંદર-બહાર, ઉપર-નીચે, આગળ-પાછળ, પાણી-પાવક-પવન-પૃથ્વીમાં, વનસ્પતિ-વૃક્ષ-વલ્લરી, સરિતા સ્ત્રોત તથા સાગરમાં, સૂર્ય-ચંદ્ર-તારકમાં, માનવ અને માનવેતર પ્રાણીમાં, સર્વત્ર જુએ છે. એનું દર્શન એવી રીતે વ્યાપક બને છે. પરમાત્માના વિશ્વદર્શનમાં પરિણમે છે. ઋષિ એ પરમાત્માને પ્રેમપૂર્વક પ્રણામ કરે છે. એ જ ખરેખર પ્રણમ્ય છે. માનવ એમને ઓળખતાં, પ્રેમ કરતાં, અને પ્રણામ કરતાં શીખે તો એનું જીવન ઉજ્જવળ બને, શરીરધારણ સાચેસાચ સફળ કે સાર્થક થાય.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer