An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 3 : Verse 01

 

य एको जालवानीशत ईशनीभिः सर्वांल्लोकानीशत ईशनीभिः ।

य एवैक उद्भवे सम्भवे च य एतद् विदुरमृतास्ते भवन्ति ॥१॥

 

અર્થઃ

યઃ - જે

એકઃ - એક

જાલવાનઃ - જગતરૂપી જાળના અધીશ્વર

ઇશનીભિઃ - એ વિવધ શાસન શક્તિથી

સર્વાન્ - સર્વે

લોકન્ ઇશતે - લોકો પર શાસન કરે છે.

યઃ - જે

એકઃ - એકાકી

એવ - જ

સંભવે ચ ઉદભવે - સૃષ્ટિની ઉત્પત્તિ અને એના વિસ્તાર માટે (સમર્થ છે)

એતત્ - તે પરમાત્માને

યે - જે

વિદુઃ - જાણે છે

તે અમૃતાઃ - તે અમર

ભવન્તિ - બને છે.

 

ભાવાર્થઃ

સંસારમાં પૂર્ણ, મુક્ત, મૃત્યુંજય અથવા અમર કોણ બને છે ? જે સંસારના વિષયોમાં આસક્ત થવાને બદલે સંસારના અધીશ્વર અથવા સ્વામીમાં પ્રીતિ અથવા આસક્તિ કરે છે, એમને ઓળખે છે, અને એમની સાથે એકતાને અનુભવે છે. એ પરમાત્માની ઓળખાણ આપતાં અહીં જણાવવામાં આવે છે કે એ એક છે, સંસારના સર્જન, સંરક્ષણ, સંવર્ધન તથા વિસર્જનની શક્તિવાળા છે અને સમસ્ત બ્રહ્માંડને પોતાના નિયંત્રણમાં રાખે છે. એમને માટે 'જાલવાન' નામે સરસ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એ જગતરૂપી જાળના કર્તા તથા નિયંતા છે. કરોળિયો પોતાની લાળની મદદથી કોઇપણ બાહ્ય મદદ વિના જાળાને તૈયાર કરે છે તેમ તે પણ સ્વતંત્ર રીતે સંસારને સરજે છે. 'જાલવાન' શબ્દમાં એ સંદેશ સમાયેલો છે. પરમાત્મા જગતરૂપી જાળના અધીશ્વર છે. એટલે જે એમને શરણે જાય છે અને એમને ભજે છે તે એ જાળમાંથી એમની કૃપાથી સહેલાઇથી છૂટી જાય છે એવો સૂર પણ એમાં સમાયેલો છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer