An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 3 : Verse 15

 

पुरुष एवेदँ सर्वं यद् भूतं यच्च भव्यम् ।

उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति ॥१५॥

 

અર્થઃ

યત્ - જે

ભૂતમ્ - ભૂતકાળમાં થયેલું

યત્ - જે

ભવ્યમ્ - ભાવિમાં થનારું છે.

ચ - અને

યત્ - જે

અન્નેન - ખાદ્ય પદાર્થોથી

અતિરોહતિ - અત્યારે વૃદ્ધિ પામે છે.

ઇદમ્ - આ

સર્વમ્ - સર્વ જગત

પુરુષઃ એવ - પરમાત્મા જ છે.

ઉત - અને

અમૃતત્વસ્ય - અમૃતસ્વરૂપ પરમપદ કે મોક્ષના

ઇશાનઃ - સ્વામી છે.    

 

ભાવાર્થઃ

પરમાત્મા પરમપદ, મોક્ષ અથવા અમૃતપદના સ્વામી છે એટલે એમના શરણ, સ્મરણ-મનન, નિદિધ્યાસન અને અનુગ્રહ વિના કોઇને પણ પરમપદ, મોક્ષ, પૂર્ણતા અથવા અમૃતપદની પ્રાપ્તિ નથી થઇ શકતી. સુખશાંતિને ઇચ્છનારા માનવે એમનો સંબંધ બાંધવો જ જોઇએ. ભૂતકાળમાં જે હતું, વર્તમાનકાળમાં જે છે, અને ભવિષ્યકાળમાં જે થશે તે બધું - સમસ્ત જગત પરમાત્મારૂપ જ છે. એમના મંગલમય મહિમાને પ્રકટ કરે છે, એવી રીતે એમનું દર્શન કરવું જોઇએ.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer