An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 3 : Verse 16

 

सर्वतः पाणिपादं तत् सर्वतोऽक्षिशिरोमुखम् ।

सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति ॥१६॥

 

અર્થઃ

તત્ - તે પરમાત્મા

સર્વતઃ પાણિપાદમ્ - સર્વત્ર હાથપગવાળા

સર્વતોઙક્ષિશિરોમુખમ્ - સર્વત્ર આંખ, મસ્તક તથા મુખવાળા

સર્વતઃ શ્રુતિમત્ - સર્વત્ર કાનવાળા (અને)

લોકે - બ્રહ્માંડમાં

સર્વમ્ - સૌને

આવૃત્ય - બધી બાજુથી ઘેરીને

તિષ્ઠતિ - રહેલા છે.    

 

ભાવાર્થઃ

પરમાત્મા વિશેનો આ શ્ર્લોક ગીતાના તેરમા અધ્યામાં અક્ષરશઃ જોવા મળે છે. એનો ભાવાર્થ એવો છે કે પરમાત્મા સર્વદેશીય, સર્વવ્યાપક કે સર્વગત છે. એ સર્વત્ર હાથપગવાળા હોવાથી એક હોવા છતાં અનેકની રક્ષા કરે છે. અને અનેકની ભોગસામગ્રીને સ્વીકારે છે. સર્વત્ર કાનવાળા હોવાથી સૌની વાતોને સાંભળે છે. એમનાથી કશું પણ છૂપું નથી રાખી શકાતું. એ સર્વત્ર, સૌને વ્યાપીને વિરાજેલા છે. એમનો એવો અસાધારણ મહિમા જાણીને સમજુ માનવે જીવનના શ્રેય માટે એમનું શરણ લેવું જોઇએ. એમને જ ભજવું જોઇએ.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer