An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 3 : Verse 20

 

अणोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य जन्तोः ।

तमक्रतुः पश्यति वीतशोको धातुः प्रसादान्महिमानमीशम् ॥२०॥

 

અર્થઃ

અણોઃ અણીયાન્ - (એ) સૂક્ષ્મથી પણ અતિસૂક્ષ્મ

મહતઃ - મહીયાન્ - મોટાથી પણ મોટા

આત્મા - પરમાત્મા

અસ્ય જંતોઃ - આ જીવની

ગુહાયામ્ - હૃદયરૂપી ગુફામાં

નિહિતઃ - છૂપાયેલા છે.

ધાતુઃ - સૌનું સર્જન કરનાર પરમાત્માની

પ્રસાદાત્ - કૃપાથી

તમ્ - એ

અંક્રતુમ્ - સંકલ્પરહિત

ઇશમ્ - પરમાત્માને

મહિમાનમ્ - એમના મહિમાને

પશ્યતિ - જે જુએ અથવા અનુભવે છે. (તે)

વીતશોકઃ - શોક, મોહ, તથા દુઃખથી મુક્તિ મેળવે છે.

 

ભાવાર્થઃ

સંસારમાં મોટેભાગે સર્વત્ર શોક, મોહ, બંધન, દુઃખ, અશાંતિ દેખાય છે. મોટાભાગના માનવો એમાં ડૂબેલા અથવા એનાથી ઘેરાયેલા છે. એમાંથી કાયમી મુક્તિ કેવી રીતે મળે ? સનાતન સુખશાંતિને કેવી રીતે પામી શકે ? ઇશ્વરના મહિમાને અને ઇશ્વરને જાણવાથી અથવા ઓળખવાથી જ. એના સિવાય બીજો કોઇ જ અમોઘ અકસીર ઉપાય નથી. એ પરમાત્માને ઓળખવા માટે ક્યાંય દૂર જવું પડે એમ નથી. એ હૃદયરૂપી ગુફામાં વિરાજેલા છે. એમનું દર્શન ત્યાં કરવું જોઇએ. એ પરમાત્મા સૂક્ષ્માતિસૂક્ષ્મ હોવાની સાથે મોટામાં મોટા છે, સૌને સર્જનારા અને સંકલ્પરહિત છે. એમને એમના અસાધારણ અનુગ્રહથી જ જોઇ, ઓળખી અથવા અનુભવી શકાય છે. સાધકે એમના અનુગ્રહને માટે નમ્રાતિનમ્ર બનીને, શરણાગતિપૂર્વક સરળભાવે પ્રાર્થવું જોઇએ. ભક્તિભાવસહિત પ્રાર્થના ને પુરુષાર્થ કરવાથી એમની કૃપાનો લાભ મળે છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer