An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 3 : Verse 21

 

वेदाहमेतमजरं पुराणं सर्वात्मानं सर्वगतं विभुत्वात् ।

जन्मनिरोधं प्रवदन्ति यस्य ब्रह्मवादिनो हि प्रवदन्ति नित्यम् ॥२१॥

 

અર્થઃ

બ્રહ્મવાદિનઃ - બ્રહ્મવાદી મહાપુરુષો

યસ્ય - જેમના

જન્મનિરોધમ્ - જન્મનો અભાવ

પ્રવદન્તિ - કહી બતાવે છે.

હિ (યમ્) - અને જેમને

નિત્યમ્ - નિત્ય

પ્રવદન્તિ - કહે છે.

એતમ્ - આ

વિભુત્વાત્ - વ્યાપક હોવાથી

સર્વગતમ્ - સર્વવ્યાપક

સર્વાત્માનમ્ - સૌના આત્મા

અજરમ્ - જાર, મૃત્યુ જેવા વિકારોથી રહિત

પુરાણમ્ - પુરાણ પુરુષ પરમાત્માને

અહમ્ - હું

વેદ - જાણું છું

 

ભાવાર્થઃ

પરમાત્મા વિશે અત્યાર સુધીની વાતો કેવળ વાંચેલી, સાંભળેલી કે વિચારેલી નથી પરંતુ સ્વાનુભવસિદ્ધ છે. આધ્યાત્મિક જીવનનો સાચો આનંદ ચર્ચાવિચારણામાં કે વાદવિવાદમાં સમાયેલો નથી પરંતુ સ્વાનુભૂતિમાં સમાયેલો છે. એ સત્યને સૂચવવા માટે ઋષિ જણાવે છે કે પુરાણપુરુષ પરબ્રહ્મ પરમાત્માને હું જાણું છું; મને એમનો સુખદ સાક્ષાત્કાર થયો છે. જીવનની પરમ ધન્યતાની વીણા એથી વાગી ઉઠી છે. બ્રહ્મવેત્તા બ્રહ્મવાદી પુરુષો એ પરમાત્માને અજન્મા, અવિનાશી, નિત્ય, સર્વાત્મા, જરાદિ વિકારોથી રહિત અને સર્વવ્યાપક કહે છે. એમનો સાક્ષાત્કાર અથવા સંપર્ક સુખશાંતિકારક છે. જીવનનું આત્યંતિક કલ્યાણ એમાં જ સમાયેલું છે. માટે માનવે એમનું અનુસંધાન સાધવું જોઇએ.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer