An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 4 : Verse 07

 

समाने वृक्षे पुरुषो निमग्नोऽनीशया शोचति मुह्यमानः ।

जुष्टं यदा पश्यत्यन्यमीशमस्य महिमानमिति वीतशोकः ॥७॥

 

અર્થઃ

સમાન વૃક્ષે - શરીરરૂપી એક જ વૃક્ષ પર વસનારો

પુરુષઃ - જીવાત્મા

નિમગ્નઃ - આસક્તિમાં ડૂબેલો છે.

અનીશયા - અસમર્થ હોવાને લીધે

મુહ્યમાનઃ - મોહિત બનેલો છે.

શોચતિ - શોક કરે છે.

યદાઃ - જ્યારે

જુષ્ટમ્ - ભક્તો અથવા શરણાગતો દ્વારા સેવાયેલા

અન્યમ્ - પોતાનાથી ભિન્ન, બીજા

ઇશમ્ - પરમાત્માને (અને)

અસ્ય - એમના

મહિમાનમ્ - મહિમાને

પશ્યતિ - જુએ છે.

ઇતિ - ત્યારે

વીતશોકઃ - સર્વપ્રકારે શોકરહિત

(ભવતિ - થઇ જાય છે.)

 

ભાવાર્થઃ

પરમાત્માની સાથે શરીરરૂપી એક જ વૃક્ષ પર વિરાજનારો જીવાત્મા પ્રિયતમ પરમાત્માનું વિસ્મરણ કરીને સંસારના વિનાશશીલ વિષયોમાં અને કર્મફળના ભોગોપભોગમાં આસક્ત થયેલો છે. એ હર્ષ તથા શોકનો, મોહ અને સંમોહનો અનુભવ કરે છે. પરમાત્માની પરમકૃપાથી પ્રેરાઇને જ્યારે એ સત્કર્મોના સુપરિપાકરૂપે સાધનાનો આશ્રય લે છે ત્યારે પોતાની તદ્દન પાસે વિરાજતા પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. એમના અલૌકિક મહિમાનું એને જ્ઞાન થાય છે. એથી એ સર્વથા શોકરહિત બની જાય છે. ભય, ચિંતા તથા બંધન અને ભેદભાવમાંથી કાયમને મુક્તિ મેળવે છે. જીવાત્માને માટે શોક તથા મોહમાંથી મુક્તિ મેળવવાનો બીજો કોઇ જ અમોઘ ઉપાય નથી.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer