An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 4 : Verse 11

 

यो योनिं योनिमधितिष्ठत्येको यस्मिन्निदाम् सं च विचैति सर्वम् ।

तमीशानं वरदं देवमीड्यं निचाय्येमां शान्तिमत्यन्तमेति ॥११॥

 

અર્થઃ

યઃ - જે

એકઃ - એક જ

યોનિમ્ યોનિમ્ અધિતિષ્ઠતિ - પ્રત્યેક યોનિના અધિષ્ઠાતા છે.

યસ્મિન્ - જેમનામાં

ઇદમ્ - આ

સર્વમ્ - સર્વ કાંઇ

સમેતિ - વિલીન થાય છે.

ચ - અને

વ્યેતિ ચ - વિવિધરૂપે વ્યક્ત બને છે.

તમ્ - તે

ઇશાનમ્ - સર્વનિયંતા

વરદમ્ - વરદાયક

ઇડ્યમ્ - સ્તવન કરવા યોગ્ય

દેવમ્ - પરમાત્માને

નિચાય્ય - તત્વથી જાણીને

અત્યન્તમ્ - અનંત અથવા સનાતન

ઇમામ્ - આ

શાન્તિમ્ - શાંતિને

એતિ - પામી લે છે.

 

ભાવાર્થઃ

માનવને સનાતન શાંતિ કેવી રીતે મળી શકે ? પરમાત્માને જાણી લેવાથી જ. એના સિવાય શાંતિ પ્રાપ્તિનો બીજો કોઇ માર્ગ નથી. એ અભિપ્રાયને ઉપનિષદ ફરીવાર અહીં કહી બતાવે છે. એ પરમાત્મા સઘળી યોનિના - સમસ્ત સૃષ્ટિના મૂળાધાર અથવા મૂળભૂત કારણ છે. સર્વસૂત્રધાર અથવા નિયંતા છે. સમસ્ત સંસાર એમની અંદરથી પ્રાદુર્ભાવ પામે છે અને એમનામાં વિલીન બને છે. એ જ એકમાત્ર સ્તુતિ કરવા યોગ્ય છે. એમના અલૌકિક અનુગ્રહથી જીવ બદ્ધાવસ્થામાંથી છૂટીને મુક્ત બને છે ને સર્વવિધ કલ્યાણ કરે છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer