An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 4 : Verse 12

 

यो देवानां प्रभवश्चोद्भवश्च विश्वाधिपो रुद्रो महर्षिः ।

हिरण्यगर्भं पश्यत जायमानं स नो बुद्ध्या शुभया संयुनक्तु ॥१२॥

 

અર્થઃ

યઃ - જે

રુદ્રઃ - રુદ્ર

દેવાનામ્ - દેવોને

પ્રભવઃ - ઉત્પન્ન કરનારા

ચ - અને

ઉદભવઃ - વધારનારા છે.

ચ - વળી

વિશ્વાધિપઃ - સૌના અધીશ્વર

મહર્ષિઃ - મહાન જ્ઞાની, ઋષિ કે સર્વજ્ઞ છે. (જેમણે સૌથી પ્રથમ)

જાયમાનમ્ - પેદા થયેલા

હિરણ્યગર્ભમ્ - હિરણ્યગર્ભને

પશ્યત - પેખેલા

સઃ - તે પરમાત્મા

નઃ - અમને

શુભયા બુદ્ધયા - સદબુદ્ધિથી

સંયુનક્તુ - સંયુક્ત કરે.

 

ભાવાર્થઃ

સદબુદ્ધિ સાંપડે નહીં ત્યાં સુધી જીવનનું પરમ કલ્યાણ કેવી રીતે થઇ શકે ? જીવનના શ્રેયને માટે જે સદાચારની આવશ્યકતા છે તેની સિદ્ધિ પણ સદબુદ્ધિ વિના કદાપિ ના થઇ શકે. એટલા માટે અહીં સદબુદ્ધિની પ્રાર્થના કરતા કહેવામાં આવે છે કે પરમાત્મા કૃપા કરીને અમને સદબુદ્ધિથી સંપન્ન કરો. એ સદબુદ્ધિની મદદથી અમે સદા સત્યપરાયણ બનીશું અને સત્યનો સાક્ષાત્કાર કરીશું. એ સદબુદ્ધિને પ્રદાન કરનારા પરમાત્મા સૌથી શ્રેષ્ઠ ઋષિ, જ્ઞાની, સર્વજ્ઞ અથવા સર્વાંન્તર્યામી છે. દેવોને ઉત્પન્ન કરનારા ને વધારનારા છે. હિરણ્યગર્ભની પણ પહેલાંના છે. જડચેતનાત્મક સમસ્ત સંસારના સ્વામી, શાસક અથવા નિયંતા છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer